કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, કેન્દ્ર સરકારની યોજના છે કે આગામી 10 વર્ષમાં 50 લાખ હેક્ટેર ઉજ્જડ જમીન ખેતી યોગ્ય બનાવશે, જેનાથી લગભગ 75 લાખ લોકોને રોજગાર મળશે.
દેશના 75 લાખ લોકોને મળશે રોજગાર
2-13 સપ્ટેમ્બર ચાલશે યૂનસીસીડડીકૉપ-14
દેહરાદૂનમાં બનશે સેન્ટર ફૉર એક્સીલન્સ
કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યુ કે, ભારતમાં 2-13 સપ્ટેમ્બર સુધી સંયુક્ત રાષ્ટ્ર સીસીડી કૉપ- 14 (UNCCDCOP14) એટલે કે યૂનાઇટેડ નેશન્સ કન્વેંશન ટૂ કૉમ્બેટ ડેઝર્ટિફિકેશન સંમેલન થવાનું છે.
આ સંમેલનમાં ખરાબ જમીનને કેવી રીતે ઉપજાઉ બનાવવામા આવે, તે વિષય પર ચર્ચા કરવામાં આવશે. ઘણા દેશોમાં વૈજ્ઞાનિક પોત-પોતાના ઇનોવેશનને બતાવશે.
1. 50 lakh hectares degraded land will be made fertile in 10 years
2. Implement provisions of New Delhi Declarations to be adopted at the end of conference
3. Center of Excellence will be established in Forest Research Institute pic.twitter.com/ApPGADZatx
ઉજ્જડ જમીનને ખેતી યોગ્ય બનાવવા માટે કેન્દ્ર સરકાર યૂનાઇટેડ નેશન્સ કન્વેંશન સાથે સમજૂત કરશે. કેન્દ્રીય પર્યાવરણ તથા વન મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, અમારી સરકાર નવી દિલ્હી ડિક્લેરેશનમાં જણાવવામાં નિયમો અને કાયદાઓ અનુસાર આ કામ માટે આગળ વધશે. દેહરાદૂનના ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટમાં સેન્ટર ઑફ એક્સીલન્સ બનાવવામાં આવશે.
દેશમાં 1.69 કરોડ હેક્ટેર જમીન ઉજ્જડ છે:
તમને જણાવી દઇએ કે, દેશમા આ સમયે 1.69 કરોડ હેક્ટર જમીન ઉજ્જડ છે, જેને ખેતી યોગ્ય બનાવવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. જૂલાઇમાં લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવવામા આવ્યુ હતુ કે, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ મળીને 16,996,000 હેક્ટર જમીન ઉજજડ અથવા તો ખેતી યોગ્ય નથી, જેણે સુધારવા માટે કેન્દ્ર સરકાર અલગ-અલગ રાજ્યોની સરકાર સાથે મળીને કામ કરશે.
યૂએ સીસીડી (કૉપ 14)માં ભાગ લેશે 200 દેશ:
પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, યૂએ સીસીડી (કૉપ 14) માં 200 દેશો ભાગ લેશે. રિયો ડી જેનેરિયો પછી પહેલી વખત આ રીતે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આગામી 2 વર્ષ સુધી ભારત યૂએન સીસીડીના અધ્યક્ષ તરીકે રહેશે. આ સંમેલનમાં લગભગ 1000 દેશોના મંત્રી આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સંમેલનમાં શામિલ થશે. દુનિયાભરમાં દિલ્હી ડિક્લેરેશનને રીતથી ફૉલો કરે તેના પર ભારત નજર રાખશે. 9-10 સપ્ટેમ્બરના તમામ દેશોના મંત્રી શામેલ થશે. ગ્રેટર નોએડામાં આ સંમેલનનુ આયોજન કરવામાં આવશે. 3000થી વધારે ડેલીગેટ ભાગ લેશે.