વર્ષ 2018માં મોદી સરકારે એ દાવા સાથે ઇલેક્ટોરલ બૉન્ડની શરૂઆત કરી હતી કે, તેનાથી રાજકીય ફંડિગમાં પારદર્શિતા વધશે અને સાચુ ધન આવશે. જોકે, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)એ મોદી સરકારને મોટો ઝટકો આપ્યો છે. સીઆઇસીએ પોતાના એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સરકારને નિર્દેશ આપ્યો છે કે, ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા રાજકીય પાર્ટીઓને ફંડ આપનારનું નામ જાહેર કરવું પડશે.
વર્ષ 2018માં મોદી સરકારે ઇલેક્ટોરલ બૉન્ડની શરૂઆત કરી હતી
ઇલેક્ટોરલ બૉન્ડને લઇને રિઝર્વ બેન્કે પણ સરકારને ચેતવણી આપી હતી
RTI હેઠળ માહિતી આપવામાં બેદરકારીને લઇને CICએ મહેસૂલ વિભાગ અને ચૂંટણી પંચને કારણદર્શક નોટિસ ફટકારી
સીઆઇસીએ સરકારને નિર્દેશ આપ્યો છે કે, તેઓ એ ફંડ આપનારાઓનું નામ જાહેર કરે જેમણે અપીલ કરી હતી કે, તેમના નામ જાહેર ન કરવામાં આવે.
મોદી સરકારે કર્યો હતો આ દાવો
વર્ષ 2018માં મોદી સરકારે એ દાવા સાથે ઇલેક્ટોરલ બૉન્ડની શરૂઆત કરી હતી કે, તેનાથી રાજકીય ફંડિગમાં પારદર્શિતા વધશે અને સાચુ ધન આવશે. મોદી સરકારે વ્યવસ્થા કરી હતી કે, કોઇપણ દાતા પોતાની ઓળખ છુપાવતા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાથી એક કરોડ રૂપિયા સુધીના મુલ્યના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદી પોતાની પસંદગીની રાજકીય પાર્ટીને ફંડના રુપે આપી શકે છે.
રિઝર્વ બેન્કે આપી હતી સરકારને ચેતવણી
આ વ્યવસ્થા ફંડ આપનારાઓની ઓળખ જાહેર નથી કરતી અને તેને ટેક્સથી પણ છુટ પ્રાપ્ત છે. જોકે, એ સમયે તેના પર વિવાદ થયો હતો અને જાણકારોએ કહ્યું હતું કે, તેનાથી ચૂંટણી ફંડિગમાં અપારદર્શિતા વધશે અને વિદેશી ફંડ પણ રાજકીય પાર્ટીઓને સરળતાથી મળવા લાગશે. આ મામલે રિઝર્વ બેન્ક (Reserve Bank Of India) એ પણ સરકારને ચેતવણી આપી હતી પરંતુ એ સમયે રિઝર્વ બેન્કની સલાહ પર મોદી સરકારે બાજુ પર રાખતા તેને જાહેર કરી હતી.
CICએ સંબંધિત વિભાગોને ફટકારી નોટિસ
આરટીઆઇ (Right to Information Act) હેઠળ આપવામાં આવેલી એક અપીલ પર બેદરકારીના મામલામાં સીઆઇસીએ નાણાકીય મામલાઓ સાથે સંબંધિત વિભાગ, મહેસૂલ વિભાગ અને ચૂંટણી પંચને કારણ બતાવો નોટિસ પણ ફટકારી છે. સીઆઇસી (CIC)એ પૂછ્યું છે કે, આરટીઆઇ (RTI) હેઠળ જાણકારી માંગનાર અપીલકર્તાને અધૂરી જાણકારી આપવા અને તેઓને ભટકાવવાને લઇને શા માટે આપના પર દંડ ના ફટકારવામાં આવે?
2 વર્ષ જુની એક આરટીઆઇ અરજી પર નિર્ણય
માહિતી કમિશનર સુરેશ ચંદ્રાએ આ નિર્ણય 2 વર્ષ જુની એક આરટીઆઇ અરજીને લઇને સંભાવ્યો છે. આ અરજી વેંકટેશ નાયકે વર્ષ 2017માં ઇકોનૉમિક અફેયર્સ વિભાગને આપતા રાજકીય પાર્ટીઓને ગુપ્ત ફંડ આપનારા લોકો વિશે માહિતી માંગી હતી. પરંતુ તેના પર વિભાગ તરફથી કંઇપણ કહેવામાં આવ્યું નહોતું. જે બાદ વેંકટેશ નાયકે ઓગસ્ટ 2017માં ઓથોરિટીમાં પહેલી અપીલ કરી હતી.
જે બાદ ઓથોરિટીએ તેમની અપીલને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, નાણાકીય સેવાઓથી સંબંધિત વિભાગ અને ચૂંટણી આયોગની પાસે મોકલી હતી, જેથી આ તમામ અંદરોઅંદર તાલમેલ બેસાડીને અરજીકર્તાને સાચી માહિતી આપી શકે. જોકે અરજીકર્તાને કોઇ માહિતી ન મળ્યા બાદ આખરે તેઓએ જાન્યુઆરી 2018માં સીઆઇસીમાં ફરિયાદ દાખલ કરી હતી.