ગુજરાતમાં કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાને લઇને જાહેર કરવામાં આવેલા લોકડાઉનનો લોકો વારંવાર ભંગ કરતા જોવા મળે છે. જો કે કેન્દ્ર સરકારની ટીમ હાલ ગુજરાતની મુલાકાતે આવી છે. રાજ્યના અલગ-અલગ શહેરની મુલાકાત બાદ આજરોજ અમદાવાદ શહેરની મુલાકાતે આવી પહોંચી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ વિભાગની ટીમે શહેરના કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર જોડે બેઠક યોજી રણનીતિ અંગે ચર્ચા કરી.
કોરોના મુદ્દે અમદાવાદમાં મહત્વની બેઠક પૂર્ણ
કેન્દ્રીય ગૃહ વિભાગની ટીમે ઘડ્યો એક્શન પ્લાન
CP આશિષ ભાટિયા, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક
ગુજરાતમાં કોરોનાને લઇને લોકડાઉનની પરિસ્થિતિને લઇને સમીક્ષા કરવા આવેલી કેન્દ્રીય ગૃહ વિભાગની ટીમે અમદાવાદના કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નર જોડે શહેરની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જેને લઇને કેન્દ્રીય ગૃહ વિભાગની ટીમે એકશન પ્લાન ઘડી લીધો હોવાનું જાણકારી મળી છે.
અમદાવાદ શહેરમાં કોરોનાને લઇને તેમજ લોકડાઉન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. જો કે અમદાવાદ શહેરમાં આજથી ખૂલેલ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખોલવી કે નહીં તે અંગે મ્યુનિસિપલ અને પોલીસ કમિશ્નર મહત્વો નિર્ણય લેશે.
અમદાવાદ શહેરને લઇને કેન્દ્રિય ગૃહ વિભાગની ટીમે શહેરના કલેકટર સી પી આશિષ ભાટિયા અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સાથે બેઠક કરી હતી.