છેલ્લા બે દિવસથી ગુજરાતના શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે અને અમદાવાદમાં તો બે દિવસ માટે સજ્જડ કર્ફ્યૂ મુકાયો છે ત્યારે કેન્દ્રની ટીમ પણ ગુજરાતમાં ધામા નાંખ્યા છે એ વખતે જોવાનું એ છે કે આજે રાજ્ય સરકાર કેન્દ્રની આરોગ્ય ટીમ સાથે મળીને શું નિર્ણય લેશે.
કેન્દ્રીય આરોગ્ય ટીમની CM રૂપાણી સાથે બેઠક
નિષ્ણાંતોની બેઠક બાદ મળશે કોર કમિટીની બેઠક
બેઠકમાં કર્ફયુ અંગે લેવાઇ શકે છે નિર્ણય
દિવાળી બાદ કોરોનાના કેસમાં એકદમ જ વધારો નોંધાયો છે. છેલ્લા અઠવાડિયામાં 10000 જેટલા કેસ નોંધાતા ગુજરાત સરકાર દોડતી થઈ ગઈ છે ત્યારે કેન્દ્રની ટીમ પણ ગુજરાતમાં ધામાં નાંખ્યા જે આજે CM રૂપાણીને મળશે.
કેન્દ્રીય આરોગ્ય ટીમની CM રૂપાણી સાથે બેઠક
આજે સાંજે 4 કલાકે કેન્દ્રીય આરોગ્ય ટીમની CM રૂપાણી સાથે રાજ્યમાં કોરોનાના ફેલાવા, સંક્રમણ અને તેને રોકવા અંગેના પ્રયાસો અંગે સમીક્ષા કરતી બેઠક કરશે. આ બેઠક મુખ્યમંત્રી નિવસ્થાને યોજાશે.
નિષ્ણાંતોની બેઠક બાદ મળશે કોર કમિટીની બેઠક
કેન્દ્રીય આરોગ્ય ટીમની CM રૂપાણી સાથેની બેઠક બાદ સાંજે 6 કલાકે કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં કર્ફયુ અંગે નિર્ણય લેવાઇ શકે છે.