કેન્દ્ર સરકાર તરફથી એક ટીમ દેશના ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાનો પ્રવાસ કરશે. આ પ્રવાસ 26થી 29 જૂન સુધી ચાલશે. આ દરમિયાન સભ્યો આ રાજ્યોમાં કોરોના વાયરસથી લડવા માટે કરવામાં આવેલ તૈયારી-સુવિધાઓની સમીક્ષા કરશે.
કોરોનાની સ્થિતિને લઈ કેન્દ્રીય આરોગ્ય ટીમ સતર્ક
કોરોનાનું સંક્રમણ વધુ હોય તેવા રાજ્યોની કરશે મુલાકાત
ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગણાની મુલાકાત કરશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ આ દળની આગેવાની કરશે. આ દળ ત્રણ રાજ્યોના અદિકારીઓની સાથે વાતચીત કરશે અને કોવિડ-19 મહામારીના મેનેજમેન્ટ માટે ચાલી રહેલા પ્રયાસોને મજબૂત રવા માટે તેમની સાથે સમન્વય કરશે.
A Central Team led by Lav Agarwal, Jt Secretary, Ministry of Health will visit Gujarat, Maharashtra and Telangana on 26th-29th June. The team will interact with the State officials and coordinate with them to strengthen ongoing efforts for management of COVID-19: Health Ministry pic.twitter.com/USbPxWDDao
જણાવી દઇએ કે મહારાષ્ટ્ર દેશમાં કોવિડ-19થી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. અત્યાર સુધીમાં અહીં કોરોનાના એક લાખ 42 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 62,353 સક્રિય કેસ છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં 6,739 લોકોના મોત થઇ ચૂક્યા છે.
ગુજરાતની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં કોરોનાના 29 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે, જેમાં 6,169 મામલે સક્રિય છે. જેને લઇને અત્યાર સુધી 1,736 લોકોના મોત થયા છે. તેલંગાણામાં આના 10,444 મામલે મળ્યા છે, જેમાં 5,760 સક્રિય છે. અહીં કોરોનાથી અત્યાર સુધી 225 લોકોના મોત થયા છે.