દેશમાં ઓમિક્રૉન વેરિયન્ટનાં કારણે આવેલી ત્રીજી લહેરને જોતાં કેન્દ્ર સરકારે રાજ્યોને અલર્ટ રહેવા માટે કહ્યું છે કારણ કે હવે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી શકે તેમ છે.
ઓમિક્રોનના સંક્રમણને લઇ કેન્દ્ર સરકારની ચેતવણી
ઓમિક્રોનને કારણે હોસ્પિટલની સ્થિતિમાં બદલાઇ શકે છે
બંને વેરિએન્ટને કારણે દર્દીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં દાખલ થઇ શકે છે
હોસ્પિટલના દ્વારા લેવાતા ચાર્જને નક્કી કરવો જરૂરી
કેન્દ્રનો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર, હોસ્પિટલનો ચાર્જ નક્કી કરો
દેશમાં ઓમિક્રોનના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઓમિક્રોનના સંક્રમણને લઇ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ચેતવણી આપવામાં આવી છે. હાલ ઓમિક્રોનના કેસોમાં 5 થી 10 ટકા દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થાય છે. પરંતુ ઓમિક્રોનને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ બદલાઇ શકે છે. રાજ્યોએ હોમ આઇસોલેશનના દર્દીઓ પર નજર રાખવી જરૂરી છે કારણ કે દેશમાં ઓમિક્રોન અને કેટલાક રાજ્યોમાં ડેલ્ટા વેરિએન્ટ છે. બંને વેરિએન્ટને કારણે દર્દીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં દાખલ થઇ શકે છે. ઓમિક્રોન અને કોરોનાના દર્દીઓના આંકડા પર નજર રાખવી જરૂરી. હોસ્પિટલના દ્વારા લેવાતા ચાર્જને નક્કી કરવો જરૂરી.વધુ ચાર્જ લેતા હોસ્પિટલ સંચાલકો સામે કાર્યવાહીનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોરોની ત્રીજી લહેરમાં પણ રાજ્યોમાં નથી તૈયારી
કોરોની ત્રીજી લહેરમાં પણ રાજ્યોમાં તૈયારી નથી દેખાઇ. કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારોને પત્ર લખી તૈયારી કરવા અંગે જાણકારી આપવામાંઆવી હોવા છતાં પણ રાજ્યોમાં તૈયારીનો અભાવ જોવા મળ્યો હતો. કેન્દ્ર દ્વારા પત્ર લખાયા બાદ તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલાસો થયો છે કે PM કેર ફંડમાંથી અપાયેલા વેન્ટિલેટર હાલ ધૂળ ખાઇ રહ્યા છે. જીનોમ સિક્વોન્સિંગની લેબ પણ શરૂ કરવામાં રાજ્યોની ઉદાસીનતા દેખાઇ રહી છે. બોક્ષમાં પેક વેન્ટિલેટરો બહાર પણ નથી કઢાયા. છેલ્લા 9 મહિનામાં કેન્દ્ર દ્વારા 4 વખત પત્ર લખવામાં આવ્યો હતો. 20 ટકા વેન્ટિલેટર હજુ બંધ હાલતમાં દેખાઇ રહ્યા છે. દિલ્લીમાં 1129માંથી 172 વેન્ટિલેટર ચાલુ નથી કર્યા. ચંદીગઢમાં પણ વેન્ટિલેટર બંધ હાલતમાં જોવા મળ્યા છે.
20 ટકા વેન્ટિલેટર હજુ બંધ હાલતમાં
તપાસમાં ખૂલ્યું છે કે કેન્દ્ર સરકારે રાજ્યોને 50 હજાર વેન્ટિલેટર આપ્યા હતા પરંતુ હજુ 1600ને તો પેટીપેક જ રાખવામાં આવ્યા છે. જીનોમ સિકવેન્સિંગને લઈને લેબની હાલતમાં પણ આવી જ હાલત છે. રાજ્યોને લેબ નવી બનાવવામાં કોઈ રસ નથી. રાજ્યો પોતાની સફાઇમાં જુદા જુદા બહાના બતાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.