કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને વિજળી ઉત્પાદન કંપનીઓ (જેનકો) તથા કોલ ઈંડિયાને 9692 કરોડ રૂપિયાનું બાકી તાત્કાલિક ચુકવી દેવા માટે કહ્યું છે.
UPમાં વિજળીનું ભારે સંકટ આવી શકે છે
કેન્દ્ર સરકારે યુપી વિદ્યુત બોર્ડને આપી ચેતવણી
બાકીનું બિલ પહેલા ચુકવો નહીંતર વિજળી કપાઈ જશે
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને વિજળી ઉત્પાદન કંપનીઓ (જેનકો) તથા કોલ ઈંડિયાને 9692 કરોડ રૂપિયાનું બાકી તાત્કાલિક ચુકવી દેવા માટે કહ્યું છે. તાત્કાલિક ચુકવણી ન કરવા પર રાજ્યની વિજળી રોકી દેવાની પણ ચેતવણી આપી છે. કેન્દ્રના આ પગલાથી નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહેલી પાવર કોર્પોરેશન સામે વધારી વિજળીની સાથે ચુકવણીની સમસ્યા પણ આવી પડી છે.
વિદેશી કોલસાની ખરીદી બાજ હવે કેન્દ્રએ રાજ્ય સરકારો પર જેનકો તથા કોલ ઈંડિયાના બાકી લેણનું પ્રેશર વધારી દીધું છે. કેન્દ્રીય ઊર્જા સચિવ આલોક કુમારે રાજ્યના મુખ્ય સચિવ ઊર્જાને પત્ર લખીને કહ્યું કે, જેનકોના 9372.49 કરોડ તથા કોલ ઈંડિયાના 319.82 કરોડ રૂપિયાનું બાકી ચુકવણુ તાત્કાલિક ચુકતે કરો, નહીંતર યુપીમાં વિજળી રોકી દેવામાં આવશે. કેન્દ્ર સરકારની આ ચેતવણીને પાવર કોર્પોરેશન તથા રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ સામે મોટો પડકાર લાવીને મુકી દીધો છે.
તાત્કાલિક ચુકવણી કરવી મુશ્કેલ
હકીકતમાં જોઈએ તો, દર મહિને સપ્લાઈ કરવામાં આવતી વિજળીની સામે રેવન્યૂ વસૂલી શકાતું નથી, જેનાથી પાવર કોર્પોરેશન નિયમિત રીતે જેનકો અને રાજ્ય વિદ્યુત બોર્ડને વિજળીનું બિલ ચુકતે કરી શકતા નથી. ચુકવણી મળ્યા બાદ બોર્ડે કોલ ઈંડિયાને ચુકવણી કરી શકતુ નથી. કારણ કે યુપીમાં વિજળીની ભારે તંગી છે અને એટલા માટે પાવર કોર્પોરેશને એનર્જી એક્સચેંજ તથા અન્ય સ્ત્રોતથી વધારાની વિજળી ખરીદવી પડી રહી છે. ત્યારે આવા સમયે તાત્કાલિક ચુકવણી કરવી અતિ મુશ્કેલ છે.
ચુકવણીમાં મોડુ થવા પર વ્યાજ વસૂલવામાં આવે છે
બોર્ડના નિગમના અધિકારીઓનું કહેવુ છે કે, અનુબંધ અનુસાર પાવર કોર્પોરેશન જે એકમોમાંથી વિજળી ખરીદી છે, તેને સતત ચુકવણી કરતા રહ્યા છે અને ચુકવણીમાં મોડુ થવા પર 12થી 18 ટકા સુધી વ્યાજ પણ આપવું પડે છે. વિજળી સંકટ દરમિયાન આવી રીતે પ્રેશર કરવું યોગ્ય નથી.
કેન્દ્રની આ ધમકી યોગ્ય નથી
આ બાજૂ રાજ્યના વિદ્યુત પરિષદના અધ્યક્ષ અવધેશ કુમાર વર્માનું કહેવુ છે કે, કેન્દ્ર સરકાર તરફથી બાકી વિજળી બિલ પર ધમકી આપવી યોગ્ય નથી. આ ધમકી પાવર કોર્પોરેશનને નહીં, પણ રાજ્યના કરોડો વિજળી ગ્રાહકોને આપી છે.