દેશની સરહદો પર હશે કડક સુરક્ષા વ્યવસ્થા, દુશ્મન દેશોની હિલચાલ પર નજર રહેશે તેજ, કેન્દ્ર સરકાર લેશે ઇસરોની મદદ
સરદીય સુરક્ષામાં વધારો કરવા સરકારનો નવો પ્લાન
ગૃહમંત્રાલયે તાબડતોબ બોલાવી બેઠક
સેટેલાઇટ પ્રોજેક્ટ જલ્દી લૉન્ચ કરવાનો હેતુ
દેશની સુરક્ષા કાજે નજાણે કેટલાય જવાનો શહીદી વ્હોરે છે. ત્યારે દુશ્મન દેશોના દાંત ખાટા કરવા મોદી સરકારે એક નવા પ્રોજેક્ટને લોન્ચ કરવાની તૈયારીમાં છે. જેથી આપણા દેશની બોર્ડર વધુ સુરક્ષિત રાખી શકાશે. દેશની બોર્ડરને વધારે સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ચીન અને પાકિસ્તાનની સીમા પર નજર રાખવા માટે ગૃહ મંત્રાલય ઇસરોની મદદ લેશે. મળતી માહિતી અનુસાર આ સેટેલાઇટ પ્રોજેક્ટને અંતિમરુપ આપવા માટે ગૃહમંત્રાલયે ઇસરો અને અર્ધ સૈનિક દળના વરિષ્ઠ અધિકારીઓની મહત્વની બેઠક બોલવી છે.
બોર્ડર પર મોનિટરિંગ સરળ
ગૃહ મંત્રાલયે બોલાવેલી બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વહેલામાં વહેલી તકે સેટેલાઇટ લૉન્ચ કરવાનો છે. ભારત-ચીન વચ્ચે ઘણીવાર ખરાબ રસ્તા અને કોમ્યુનિકેશનની સુવિધાના અભાવે ઘણી વખત જવાનો માટે બોર્ડર એરિયા સુધી પહોંચવુ મુશ્કેલ થઇ જાય છે. ખરાબ હવામાન અને બર્ફવર્ષાને કારણે શિયાળામાં પણ ભારત અને ચીનના બોર્ડર વિસ્તારોમાં દેખરેખ કરવાનું મુશ્કેલ બની જાય છે. જેથી આ સેટેલાઇટ પ્રોજેક્ટ હેઠળ બોર્ડર પરથી દુશ્મનોની હિલચાલ પર નજર રાખી શકાશે.
સેટેલાઇટ દ્વારા રખાશે બાજ નજર
ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે તે સ્પેસ પ્રોજેક્ટ હેઠળ ISROની મદદથી તેના વિશેષ ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે, જેના દ્વારા સરહદી વિસ્તારોમાં તૈનાત અર્ધલશ્કરી દળોના સૈનિકોને વધુ સારી કોમ્યુનિકેશન સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ જ સેટેલાઇટ દ્વારા બોર્ડર પર દેખરેખ શક્ય બનશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે તેમાં ખૂબ જ પાવરફુલ કેમેરા અને કોમ્યુનિકેશન સિસ્ટમ લગાવવામાં આવશે, જેનાથી બોર્ડર મોનિટરિંગ સરળ બનશે.
બેઠકમાં હાજર રહેશે આ અધિકારીઓ
આઈબી ચીફ અરવિંદ કુમાર સહિત સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપી અને એસએસબીના અધિકારીઓ પણ બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં ઈસરોના પ્રોજેક્ટ ડાયરેક્ટર એસ અરુણન પણ હાજર રહેશે. જાણકારી અનુસાર, 2019માં ગૃહમંત્રીએ સ્પેસ પ્રોજેક્ટ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી હતી.
શું છે પ્રોજેક્ટનો હેતુ ?
આ પ્રોજેક્ટનો હેતુ સ્પેસ પ્રોજેક્ટ હેઠળ શક્ય તેટલી વહેલી તકે ISROની મદદથી સરહદની દેખરેખને મજબૂત કરવામાં આવે. સેટેલાઇટ અને સંચાર પ્રણાલીને મજબૂત કરવામાં આવે જેથી આપણા બોર્ડર પરની નિગરાની સરળ બને.