ભારતીય જીવન વીમા નિગમના (LIC) IPOમાં કાયદાકીય અડચણ હવે ધીરે ધીરે ખતમ થઈ રહી છે. કેન્દ્ર સરકારે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ડેવલપમેન્ટ ઓફિસર્સ રૂલ્સ, 2009માં સંશોધન કર્યું છે. હવે LICમાં 'કોર્પોરેશન' શબ્દને હટાવીને ' બોર્ડ'નો ઉપયોગ કરવામાં આવશે. તેની સાથે જ હવે LICના પ્રમુખને 'ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર' કહેવામાં આવશે. અત્યાર સુધી તેમને ચેરમેન કહેવામાં આવતા હતા.
LIC એક્ટ 1956માં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને નાણાકીય સેવા વિભાગે નોટિફાઈ પણ કરી દીધું છે. IPO પહેલા કેન્દ્ર સરકારે LIC અધિનિયમ સાથે જોડાયેલા નિયમોમાં પણ સંશોધન કર્યુ છે.
સરકારી વીમા કંપનીમાં વહીવટી સંચાલકનું પદ પહેલાની જેમ જ કાયમ રહેશે. LICમાં CEO અને MDની નિયુક્તિ કેન્દ્ર સરકારની રહેશે. આ જ મહિને LICના હાલના ચેરમેન એમ આર કુમારના કાર્યકાળને બે વર્ષ સુધી વધારી દેવામાં આવ્યો છે. હાલમાં LICના ચાર MD છે.- વિપિન આનંદ, મુકેશ કુમાર ગુપ્તા, રાજ કુમાર અને સિદ્ધાર્થ મોહંતી.
IPO લિસ્ટિંગ મેનેજમેન્ટ માટે સરકારે પ્રસ્તાવ માંગ્યો
LIC IPOના મેનેજમેન્ટ માટે સરકારે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર, કાયદાકીય સલાહકાર, રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટની નિયુક્તિનો પણ પ્રસ્તાવ માંગ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે LICના IPO કોઈ પણ ભારતીય કંપનીની સૌથી મોટી લિસ્ટિંગ હોઈ શકે છે.
જણાવી દઈએ કે ગયા અઠવાડિયે આર્થિક મામલાની કેબિનેટ કમિટીના LIC IPOને મંજૂરી આપી દેવામાં આવી છે. મીડિયો રિપોર્ટ્સમાં સરકારી સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે માર્ચ 2022 સુધી LICના IPO આવી શકે છે. મંત્રીઓનe સમૂહ એ નક્કી કરશે કે LICમાં કેટલા ટકા સરકારી ભાગીદારીને વેચવામાં આવશે.
LIC IPO દ્વારા રોકાણનું લક્ષ્ય પુરૂ કરશે સરકાર
નાણાકીય વર્ષ 2020-21 માટે બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યું છે કે સરકાર LICમાં પોતાની ભાગીદારી વેચવાની છે. LICની ભાગીદારીનું વેચાણ IPO દ્વારા કરવામાં આવશે. LIC IPOની લિસ્ટિંગ દ્વારા સરકાર રોકાણકારના લક્ષ્યને પુરો કરવા માંગે છે. કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે રિઈન્વેસ્ટમેન્ટનો લક્ષ્ય 1.75 લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.