જમ્મૂ કાશ્મીરમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જમ્મૂ કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા કુલ 919 લોકોની સુરક્ષા હટાવી લેવાઈ છે. જેમાં 22 જેટલા અલગાવવાદી નેતાઓનો પણ સમાવેશ થાય છે. કુલ 919 લોકોની સુરક્ષા માટે તૈનાત 2 હજાર 768 પોલીસકર્મીઓને સુરક્ષામાંથી હટી જવા આદેશ આપી દેવાયો છે.
જમ્મૂ કાશ્મીરમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જમ્મૂ કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા કુલ 919 લોકોની સુરક્ષા હટાવી લેવાઈ છે. જેમાં 22 જેટલા અલગાવવાદી નેતાઓનો પણ સમાવેશ થાય છે. કુલ 919 લોકોની સુરક્ષા માટે તૈનાત 2 હજાર 768 પોલીસકર્મીઓને સુરક્ષામાંથી હટી જવા આદેશ આપી દેવાયો છે. એટલું જ નહીં 389 જેટલા સરકારી વાહનો પણ પાછા લઈ લેવાયા છે.
આ અંગે ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે, દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા તમામ લોકોની સુરક્ષા હટાવી લેવાઈ છે.
મળતી માહિતી અનુસાર, આ નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યમાં દુર્લભ પોલીસ સંસાધનોના અયોગ્ય ઉપયોગ પર કડક વલણનું પાલન કરવામાં આવ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્ર દ્વારા જોવામાં આવ્યું હતું કે અયોગ્ય વ્યક્તિઓ દ્વારા મોટા પ્રમાણમાં સુરક્ષા લેવાનું કારણ જનતા માટે રાજ્ય પોલીસ દળોની અછત અનુભવાતી હતી. જેને ધ્યાનમાં લેતા ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને આદેશ આપ્યા છે કે યોગ્ય આધારે મામલાની ઉંડાણથી સમીક્ષા કરવામાં આવે.
Ministry of Home Affairs: In a major step the Govt. of Jammu and Kashmir has withdrawn security cover from 919 undeserving persons, since Governor’s Rule (20th June, 2018) in the State, thereby freeing 2,768 police personnel and 389 vehicles.