કોરોના મહામારીમાં માર્ચ 2020માં મૂકાયો હતો પ્રતિબંધ
નાગરિકો હવે વિશ્વના કોઈ પણ દેશમાં પ્રવાસ કરી શકશે.
દેશમાં કોરોના ઘટતા હવે સરકારે સૌથી મોટો પ્રતિબંધ હટાવી દીધો છે. કેન્દ્ર સરકારે 156 દેશોના નાગરિકો માટે 5 વર્ષના ઈ ટૂરિસ્ટ વીઝા ચાલુ કરી દીધા છે.કેન્દ્ર દ્વારા આ પ્રતિબંધ હટાવી લેવામાં આવતા હવેથી નાગરિકો 156 દેશોની મુલાકાતે જઈ શકશે અને તેઓ ઈ ટુરિસ્ટ વીઝા પણ મેળવી શકશે.
Ministry of Home Affairs (MHA) has restored valid e-tourist visa issued for five years, which was suspended since March 2020, to nationals of 156 countries: Officials
20 માર્ચ 2020ના દિવસે સરકારે 156 દેશોના વીઝા સસ્પેન્ડ કરી દીધા હતા
કોવિડ-19 રોગચાળાને કારણે બે વર્ષ માટે મુલતવી રાખ્યા બાદ ભારતે 156 દેશોના નાગરિકોને આપવામાં આવતા તમામ માન્ય પાંચ વર્ષના ઈ-ટુરિસ્ટ વિઝા અને તમામ દેશોના નાગરિકોને નિયમિત પેપર વિઝા બહાલ કરી દીધા છે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે યુએસ અને જાપાનના નાગરિકોને હાલમાં જારી કરાયેલા તમામ માન્ય લાંબા ગાળાના (10-વર્ષ) નિયમિત પ્રવાસી વિઝા પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. નવા લાંબા ગાળાના (10-વર્ષ) પ્રવાસી વિઝા અમેરિકન અને જાપાનીઝ નાગરિકોને પણ જારી કરવામાં આવશે.
અમેરિકા અને જાપાનના નાગરિકો માટે 10 વર્ષના વીઝા શરુ
કેન્દ્ર સરકારે અમેરિકા અને જાપાનના નાગરિકોને પણ 10 વર્ષના લાંબા ગાળાના રેગ્યુલર પ્રવાસી વીઝા આપવાની પણ જાહેરાત કરી છે.નાગરિકોને આ જાહેરાતથી મોટી મદદ મળશે.
વીઝા અને ટ્રાવેલ પરના પ્રતિબંધોમાં વધારે છૂટછાટ અપાશે-ગૃહ મંત્રાલય
ગૃહમંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું કે દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો આવ્યો હોવાથી સરકારે આ પગલું ભર્યું છે અને આગામી સમયમાં વીઝા અને ટ્રાવેલ પરના પ્રતિબંધોમાં વધારે છૂટછાટ આપવાની સરકાર વિચારણા કરી રહી છે.
The government took the step keeping in view the improvement in the COVID-19 situation in the country and considering the need for further relaxation of visa and travel restrictions: MHA
માર્ચ 2020માં કોરોના મહામારીમાં સરકારે 156 દેશોના વીઝા પર મૂક્યો હતો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે માર્ચ 2020માં કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારે 156 દેશોના નાગરિકો પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
27 માર્ચથી રેગ્યુલર ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ થશે
કેન્દ્ર સરકારે 27 માર્ચથી રેગ્યુલર ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવાની પણ જાહેરાત કરી દીધી છે. કેન્દ્રની આ જાહેરાત બાદ 27 માર્ચથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પહેલાની જેમ રાબેતા મુજબ ભારતની અંદર અને બહાર આવરોજાવરો કરી શકશે.