સાબરકાંઠાના ઇડરમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઈવે બનાવવા માટે 13 કિલોમીટરનો બાયપાસ બનાવાશે.
સાબરકાંઠાના ઈડરને કેન્દ્ર સરકારની મોટી ભેટ
આગામી સમયમાં બનાવશે નેશનલ હાઇવે
280 કરોડથી વધારેના ખર્ચ સાથે બનાવશે બાયપાસ
સાબરકાંઠાના ઇડરમાં છેલ્લા અઢી દાયકાથી ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવા સમાન નહી પરંતુ અસાધ્ય રોગ જેવી સાબિત થઈ છે. જેનો ઉકેલ શોધવો અત્યંત મુશ્કેલ છે. 70 હજારથી પણ વધુની જનસંખ્યા ધરાવતા ઇડર માટે ટ્રાફિક પ્રાણ પ્રશ્ન સમાન છે ત્યારે કેન્દ્ર સરકારે શામળાજીથી વલાસણા હાઈવે બનાવવાની દિશામાં ઇડર શહેરને બાયપાસ રોડની ભેટ આપી છે. કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડી 13 કિલોમીટર જેટબાયપાલા બાયપાસ રોડને મંજૂરી આપી છે. તે અંતર્ગત 280 કરોડથી વધારેના ખર્ચ સાથે નેશનલ હાઈવે બનાવાશે. જેમાં કેટલાય કિલોમીટરની ખેતી લાયક જમીન ખેડૂતો પાસેથી ખરીદીને સ બનાવવામાં આવશે.
નેશનલ હાઇવેથી કોઇ પણ સ્થળના વિકાસને લાગે છે ચાર ચાંદ : હિતુ કનોડિયા
આ મામલે સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડિયાએ નિવેદન આપતા જણાવ્યું કે કોઈપણ જગ્યાનો વિકાસ નેશનલ હાઇવેના પગલે સૌથી વધુ થતો હોય છે. હવે આગામી સમયમાં ઇડરનો વિકાસ પણ ઉડીને આંખે વળગે તેઓ બનશે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા ગ્રીન ફિલ્ડ અંતર્ગત ખેડૂતો સહિત ગ્રામ પંચાયતના ગૌચર અને સરકારી પડતરની જગ્યા ઉપર 13 કિલોમીટર જેટલો લાંબો નેશનલ હાઇવે બાયપાસ બનાવાશે. આ નેશનલ હાઈવે બાયપાસથી અનેક મુશ્કેલીઓનું નિરાકરણ તાત્કાલિક ધોરણે આવશે. આ સાથે જ સોશિયલ મીડિયામાં પણ સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા સમસ્યાનો અંત લાવવાની વાત વહેતી કરાય છે. જ્યાં એક તરફ સર્વે સહિતની બજેટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાત્કાલીક કામ શરૂ કરવાની વાતો વચ્ચે બીજી તરફ ઇડર નેશનલ હાઈવે બાયપાસ મામલે આગામી સમયમાં સ્થાનીક ખેડૂતોના વિરોધની શરૂઆત થઇ છે. ત્યારે જોવું એ રહ્યું કે આ બાયપાસ કેટલા સમયમાં બનીને તૈયાર થાય છે અને કેટલા અંશે લોકોની મુશ્કેલીઓનું નિરાકરણ આવે છે.
શામળાજીથી વલાસના તરફ જતા વાહનચાલકોને મળશે રાહત
મહેસાણાના વલાસણાથી લઈ અરવલ્લીના શામળાજી સુધીના આ રસ્તાને કરોડોના ખર્ચે બનાવવામાં આવશે જેમાં 280 કરોડથી વધુનો ખર્ચ થશે. સાથે ઇડર શહેરને બાયપાસ આપવામાં આવ્યું છે. હાલમાં આ તબક્કે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા ગ્રીન ફિલ્ડ અંતર્ગત ખેડૂતો સહિત ગ્રામ પંચાયતના ગૌચર અને સરકારી પડતરની જગ્યા ઉપર 13 કિલોમીટર જેટલો લાંબો નેશનલ હાઇવે બાયપાસ બનાવાશે. શામળાજીથી વલાસના તરફ જતા વાહન ચાલકો માટે આ નેશનલ હાઈવે બાયપાસ મહત્વનું સાબિત થશે. હાલમાં આ તબક્કે સર્વે સહિતની બજેટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે રોડનું કામ શરૂ કરાશે.