લૉકડાઉનના કારણે ખેડૂતોને તકલીફ ન થાય અને તેમના પાકની ખરીદી થઇ શકે તેના માટે રાજ્ય સરકારો 15 એપ્રિલ સુધી ઘઉંની ખરીદી શરૂ કરી દેશે. સાથે કેન્દ્ર સરકારે દાળ અને ઑયલ સીડની ખરીદી માટે પણ રાજ્ય સરકારોને આદેશ આપી દીધા છે.
કોરોના વાયરસ વચ્ચે ખેડૂતો માટે ખુશખબર
15 એપ્રિલથી ઘઉંની ખરીદી શરૂ કરી દેશે રાજ્ય સરકાર
ડુંગળીની કિંમત ન વધે આના પર પણ નજર છેઃ કૃષિ મંત્રી
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, સરકાર તમામ મહેતન કરી રહી છે કે લૉકડાઉનના કારણે લોકોની તકલીફો ઓછી થાય. તેમણે કહ્યું કે, ડુંગળીની કિંમત ન વધે આના પર પણ નજર છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ખેડૂતોને ડુંગળી તાત્કાલીક બજારો સુધી પહોંચી શકે.
25 ટકા કઠોળ અને તેલીબિયાંની ખરીદી કરશે રાજ્ય સરકારો
કૃષિ મંત્રીએ કહ્યું કે, કઠોળ અને તેલીબિયાંની ખરીદી માટે પહેલા રાજ્ય સરકારોને પ્રસ્તાવ મોકલતા હતા બાદમાં કેન્દ્ર સરકાર તેની મંજૂરી આપતું હતું. પરંતુ લૉકડાઉનને જોતા અમે વગર રાજ્ય સરકારોના પ્રસ્તવાની રાહ જોયા વિના જ ઓર્ડર બહાર પાડી દીધો છે.
રાજ્ય સરકારોએ કહ્યું કે 25 ટકા કઠોળની ખરીદી કરી લે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારો ઘઉંની ખરીદી 15 એપ્રિલથી શરૂ કરી દેશે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે ખરીદ કેન્દ્ર વધારે બનાવવામાં આવે જેથી ખેડૂતોની એક સાથે ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થાય.