નવી સ્ક્રેપ પોલિસી હેઠળ પ્રાઈવેટ વ્હીકલ્સ માટે 25 ટકા અને કોમર્શિયલ વ્હીકલ્સ માટે 15 ટકા સુધીના રોડ ટેક્સાં છૂટ આપવામાં આવશે.
જુના વાહનોની સ્ક્રેપિંગને લઈને મહત્વનો નિર્ણય
25 ટકા સુધી આપવામાં આવશે છૂટ
જુના વાહનોને સ્ક્રેપ કરવા માટે પગલાં ભરવામાં આવશે
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે સ્ક્રેપેજ પોલિસીને લઈને વધુ એક જાહેરાત કરી છે. હકીકતે નવી રાષ્ટ્રીય ઓટોમોબાઈલ સ્ક્રેપેજ પોલિસી હેઠળ જુના વાહનોને સ્ક્રેપ કર્યા બાદ ખરીદીવામાં આવતા વાહનો પર 25 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. મંત્રાલયની તરફથી કહેવામાં આવ્યું છે કે વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીમાં વાહન માલિકોને જુના વાહનોને સ્ક્રેપ કરાવવા માટે પલગાં ભરવામાં આવી રહ્યા છે.
15 વર્ષ સુધી મળશે છુટ
કેન્દ્રીય મંત્રાલયના એક પ્રેસ રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે આ છૂટ કમર્શિયલ વાહનો માટે આઠ વર્ષ સુધી અને નોન-કમર્શિયલ વાહનોને 15 વર્ષ સુધી આપવામાં આવશે. ત્યાં જ પ્રાઈવેટ વ્હીકલ્સ માટે 25 ટકા અને કોમર્શિયલ વ્હીકલ્સ માટે 15 ટકા સુધી રોડ ટેક્સમાં છૂટ આપવામાં આવશે. મંત્રાલયની તરફથી જાહેર કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ નવા નિયમોમાં કહેવામાં આવી શકે છે અને આ નિયમ એક એપ્રિલ 2022થી લાગુ કરવામાં આવશે.
ટૂંક સમયમાં જ રાજ્યોને મળશે આદેશ
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમમાં પરિવહન વાહનોને આઠ વર્ષ બાદ અને નોન-કોમર્શિયલને 15 વર્ષ બાદ છૂટ નહીં આપવામાં આવે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની તરફથી જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રની તરફથી ટૂંક સમયમાં જ રાજ્ય સરકારોને નવી સ્ક્રેપેજ પોલિસી હેઠળ જુના વાહનોને સ્કેપ કર્યા બાદ ખરીદવામાં આવતા વાહનો માટે રોડ ટેક્સમાં 25 ટકા છુટ આપવા માટે કહેવામાં આવશે.