નાણા મંત્રાલયે રવિવારે જાણકારી આપી કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) હેઠળ 16.01 કરોડ લાભાર્થીઓના ખાતામાં કુલ 36,659 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ રકમ 24 માર્ચથી 17 એપ્રિલ વચ્ચે લાભાર્થીઓના ખાતામાં મોકલવામાં આવી છે.
DBT હેઠળ 16.01 કરોડ લાભાર્થીઓના ખાતામાં કુલ 36,659 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા
36,659 કરોડ રૂપિયામાંથી 27,442 કરોડ રૂપિયા CSS અને CSના માધ્યમથી મોકલવામાં આવ્યા
આ કેશ ટ્રાન્સફર પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS) ના કન્ટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ્સ હેઠળ ડીજીટલ પેમેન્ટ્સ ટેક્નોલોજીના માધ્યમથી મોકલવામાં આવ્યા છે. આ વિશે નાણા મંત્રાલયે એક સ્ટેટમેન્ટ જાહેર કરી જાણકારી આપી છે.
રાજ્યોના વેલફેયર સ્કીમ્સની હેઠળ 9,717 કરોડ રૂપિયા ટ્રાન્સફર
આ 36,659 કરોડ રૂપિયામાંથી 27,442 કરોડ રૂપિયા CSS અને CSના માધ્યમથી મોકલવામાં આવ્યા છે. જ્યારે 9,717 કરોડ રૂપિયા રાજ્ય સરકારોની વેલફેયર સ્કીમ્સ હેઠળ મોકલવામાં આવ્યા છે. સીએસએસ PMFSના હેઠળ આવનારી સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ્સ છે, જ્યારે સીએસ સેન્ટ્ર્લ સેક્ટર્સ છે. નાણા રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર (Anurag Singh Thakur) એ પણ એક ટ્વિટમાં આમ જાણકારી આપી છે.
(1/7) More than Rs 36,659 Crore transferred by using Direct Benefit Transfer (DBT) through Public Financial Management System (PFMS) in the Bank accounts of 16.01 crore beneficiaries during #COVID19 lockdown.#IndiaFightsCorona
— Ministry of Finance 🇮🇳 #StayHome #StaySafe (@FinMinIndia) April 19, 2020
કેન્દ્રએ આ યોજનાઓ હેઠળ ટ્રાન્સફર કર્યા કેશ
કુલ 11.42 કરોડ લાભાર્થીઓને પીએમ કિસાન સ્કીમ, MNREGA, નેશનલ સોશલ આસિસ્ટેન્સ પ્રોગ્રામ (NSAP), પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ જીવિકા મિશન, નેશનલ હેલ્થ મિશન અને અલગ-અલગ મંત્રાલયોના અંતર્ગત આવનાર સ્કૉલરશિપ સ્કીમ્સ હેઠળ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પીએમ કિસાન સ્કીમ હેઠળ 8.43 રજિસ્ટર્ડ ખેડૂતોને 17,733 કરોડ રૂપિયા અને મનરેગા હેઠળ 1.55 લાભાર્થીઓને 5,406 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આ રાજ્યોની સ્કીમ્સ હેઠળ પણ ટ્રાન્સફર કરાયા પૈસા
આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ત્રિપુરા, મહારાષ્ટ્ર, જમ્મૂ કાશ્મીર, આંધ્ર પ્રદેશના જનકલ્યાણ યોજનાની યોજનાઓ હેઠળ લાભાર્થીઓના ખાતામાં સીધા ટ્રાન્સફર કરી દેવાયા છે. રાજ્યોની કુલ 180 જનકલ્યાણ યોજનાઓ હેઠળ 4.59 કરોડ લાભાર્થીઓના ખાતામાં કુલ 9,217.22 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા છે.
19.88 કરોડ મહિલા જનધન ખાતાધારકોને મળ્યો લાભ
આ સ્કીમ્સ ઉપરાંત, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) હેઠળ મહિલા જનધન ખાતાધારકોના ખાતામાં પણ 500 રૂપિય ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 13 એપ્રિલ સુધી કુલ 19.88 કરોડ મહિલાઓને આ સ્કીમ હેઠળ કેશ ટ્રાન્સફર કરવામાં આવી છે. તેના પર કેન્દ્ર સરકારે 9930 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.