કેન્દ્ર સરકાર મોંઘવારીને નિયંત્રણમાં લવવા માટે ઘઉં અને ખાંડ બાદ ચોખાની નિકાસ પર લગાવશે પ્રતિબંધ
ચોખાની નિકાસ પર પ્રતિબંધની તૈયારી
કેન્દ્ર સરકાર મૂકી શકે છે પ્રતિબંધ
વિશ્વમાં ચોખાની નિકાસમાં ભારત બીજા નંબરે
છેલ્લા 3 મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને હવે સમગ્ર દુનિયાભરમાં ખૂબમોટો ખાદ્ય સંકટની સ્થિત ઉત્પન્ન થઈ છે. જેને લઈને દેશમાં ઘરેલું બજારમાં ખાવા-પીવાની વસ્તુઓ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધતા બનાવી રાખવા માટે નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. ઘઉં અને ખાંડની નિકાસ પર ભારતે પહેલાથી જ પ્રતિબબંધ મૂકી દીધો છે. ત્યારે હવે આ લીસ્ટમાં ચોખાને પણ સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે
PMO સ્થાનિક બજાર રાખી રહ્યું નજર
પ્રધાનમંત્રી કાર્યલય સ્થાનિક બજારમાં ખાદ્યપદાર્થોના ભાવને નિયંત્રિત રખવા માટે ઉત્પાદન દર ઉત્પાદન આધાર આંકલન કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ જરૂરી ઉત્પાદકોના નિકાસ માટે પ્રતિબંધ લગાવવાની તૈયારી ચાલી રહી છે. જેમાં દે બે પ્રોડ્કટ ઘઉં અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ લાગાવી દેવાયું છે. આવનારા સમયમાં જે ઉત્પાદનોનું નિકાસ પર પ્રતિબંધ લગાવવાની યોજના છે. જેમાં સાદા બાસમતી ચોખા પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાદા ચોખાના મામલે તેવી જ રીતે પ્રતિબંધ લાગી શકે છે. જેવી રીતે ખાંડના મામલે લગવાઈ હતી.
ચોખાના નિકાસ પર ખાંડની જેમ પ્રતિબંધ
એક રિપોર્ટ અનુસાર આ મામલે જોડાયેલા એક સૂત્રોના જણાવ્યા અનુસાર મોંઘવારીને ઉચ્ચ સ્તર પર હેન્ડલ કરવામાં આવી રહ્યું છે. કિંમતોની નજર રાખવા વાળી સમિતિ દરેક પ્રોડ્ક્ટને લઈને મીટિંગ કરી રહી છે. અને શું એક્શન લેવામાં આવે તે વિશે વિચારવામાં આવી રહ્યું છે. એક અન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર ચોખા પર પણ ખાંડની જેમ પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. ખાંડના મામલે સરકારે નિકાસ પર 20 લાખ ટનની કેપ લગાવવામાં આવી છે.
ચોખાના મામલે ભારત સૌથી મોટો નિકાસકાર છે
ભારત દુનિયામાં ચોખાના મામલે બીજો સૌથી મોટો નિકાસકર્તા દેશ છે. ચોખાને નિકાસના મામલામાં ભારત થી માત્ર ચીન આગળ છે. ભારતે 2021-22માં 150થી વધુ દેશોમાં ચોખાનું નિકાસ કર્યું હતું. આ દરમિયાન ભારતે ચોખાના નિકાસથી એગ્રી કોમોડિટીઝમાં સૌથી વધુ વિદેશી મુદ્રાની કમાણી કરી છે.