કોવિડ -19 કટોકટીને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયે આજે રાજ્યો માટે નાણાકીય ભંડોળ બહાર પાડ્યા છે. નાણાં મંત્રાલયે રાજ્યોને 17,287.08 કરોડ રૂપિયાના ફાઇનાન્સિયલ રિસોર્સિસ આપ્યા છે. તેમાંથી 15માં નાણાપંચના 'રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ' હેઠળ 6,195.08 કરોડ રૂપિયા બહાર પાડવામાં આવ્યા છે. આ ગ્રાન્ટ 14 રાજ્યો માટે જાહેર કરવામાં આવી છે.
આ રાજ્યોને 6,195.08 કરોડ રૂપિયા મળ્યા
નાણામંત્રી નિર્મલા સીતારમણે આ ભંડોળના વિતરણ અંગે માહિતી આપી છે. નાણામંત્રી કહ્યું કે આંધ્રપ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળને અનુદાન હેઠળ રૂ. 6,195.08 કરોડ આપવામાં આવ્યા છે.
SDRMF હેઠળ 11,092 કરોડ રૂપિયા રાજ્યોને અપાયા
આ સિવાય રાજ્યોને એડવાન્સ પેમેન્ટ રૂપે રૂ. 11,092 કરોડ જાહેર કરવામાં આવ્યા છે. આ રકમ 'સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડ' (SDRMF) હેઠળ પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ તરીકે આપવામાં આવી છે.
વડા પ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાત કરી
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે રાજ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક સહાય પ્રદાન કરવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડની રચના કરી છે. વડા પ્રધાન કે નરેન્દ્ર મોદીએ ગુરુવારે મંત્રાલયના આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના ચેપના કેસો સતત વધી રહ્યા છે. નાણાં મંત્રાલયે કહ્યું કે વડા પ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. આ પછી ગૃહ પ્રધાન અમિત શાહે ફંડ બહાર પાડવાની મંજૂરી આપી દીધી હતી.