કેન્દ્ર સરકાર દ્વારા મની લોન્ડરીંગ વિરુધ્ધ કડક પગલા ભર્યા છે. જેમાં કુલ 40 હજાર કંપનીઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેનું રજીસ્ટ્રેશન પણ જલ્દી રદ્દ કરી દેવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા મની લોન્ડરીંગ વિરુધ્ધ સખ્ત પગલા ભર્યા
હરિયાણા અને પંજાબમાં સૌથી વધુ ફ્રોડ કંપનીઓ
કોર્પોરેટ મંત્રાલયે આવી કંપનીઓની લિસ્ટ તૈયાર કર્યું
કેન્દ્ર સરકારે છેંતરપીંડી પર લગામ લગાવવા માટે મોટો પ્લાન તૈયાર કર્યો છે. સરકારે છેંતરપીંડી કરનાર કંપનીઓની નિષ્કિયતા પર કડક પગલા ભર્યા છે. સરકારનાં નિશાન પર એક-બે નહીં પણ કુલ 40 હજાર જેટલી કંપનીઓ છે. જેની પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. કોર્પોરેટ મંત્રાલય દ્વારા 4 હજારથી વધારે કંપનીઓનું રજીસ્ટ્રેશન રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. એમાં મોટા ભાગની કંપનીઓ દિલ્લી અને હરિયાણામાં નોંધાયેલી છે. આ બંને રાજ્યોમાં 7500 થી વધારે આવી ફ્રોડ કંપનીઓ નોંધાયેલી છે.
કોર્પોરેટ મંત્રાલયે કંપનીઓની યાદી તૈયાર કરી
એક રિપોર્ટ મુજબ કોર્પોરેટ મંત્રાલયે આવી કંપનીઓની યાદી તૈયાર કરી છે. જે કંપની છેલ્લા 6 મહિનાથી નિષ્ક્રિય છે. આવી કંપનીનાં લાયસન્સ પણ રદ્દ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ આ કેસ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું છે કે આવી ફ્રોડ કંપનીઓ મારફતે મની લોન્ડરીંગ જેવા ગુનાઓમાં વધારો થવાની સંભાવના છે.
6 મહિનાથી બંધ રહેલી કંપનીઓને જ પસંદ કરવામાં આવે છે
એક અધિકારીના જણાવ્યા અનુસાર, રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (આરઓસી) એવી કંપનીઓ પર પગલાં લે છે જે લગભગ બે વર્ષથી કોઈ બિઝનેસ નથી કરી રહી, તેમજ આ સમયગાળા દરમિયાન બિઝનેસ ડેટા શેર કરતી નથી. પરંતુ, આ વખતે માત્ર 6 મહિનાથી નિષ્ક્રિય રહેલી કંપનીઓને જ પસંદ કરવામાં આવી છે.
કોર્પોરેટ મંત્રાલયનાં ડેટા અનુસાર 8 લાખ કંપનીઓ બંધ થઈ ગઈ
તમને જણાવી દઈએ કે નોટબંધી બાદ સરકાર શેલ કંપનીઓ વિરુદ્ધ નોટબંધી બાદથી જ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. તેમાં કાળા નાણાનો ઉપયોગ થતો હોવાની આશંકા છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં લગભગ 23 લાખ કંપનીઓ નોંધાયેલી છે, જેમાંથી માત્ર 14 લાખ કંપનીઓ જ કામ કરી રહી છે. આંકડા દર્શાવે છે કે અત્યાર સુધીમાં લગભગ 8 લાખ કંપનીઓએ પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે.
નોટબંધી પછી પણ બાકી નીકળતી રકમ વસૂલવામાં આવશે
સરકારે માત્ર શેલ કંપનીઓને તાળા મારવાનો નિર્ણય લીધો નથી, પરંતુ તેમના પર સરકારની જે પણ જવાબદારી હશે તે પણ વસૂલ કરવામાં આવશે. આ મામલાને લગતા અધિકારીએ કહ્યું કે આવી કંપનીઓ અને તેમના ડાયરેક્ટર્સ પરના બાકી લેણાંને ફડચામાં લેવામાં આવશે નહીં, સાથે જ જો કંપની વતી કોઈ ટ્રાન્ઝેક્શન હશે તો તેના ડિરેક્ટર્સ અને કંપનીના પ્રતિનિધિને બોલાવવામાં આવશે. એટલે કે આ કંપનીઓને તાળા માર્યા પછી પણ તેમની પાસેથી બાકી રકમ વસૂલવામાં કોઈ ખચકાટ નહીં રહે.