સ્વસ્થ ભારતના નિર્માણને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જંક ફૂડને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. આ ડ્રાફ્ટ મુજબ શાળાની 50 મીટરના વિસ્તારમાં જંક ફૂડ વેચી શકાશે નહી. જંક ફૂડના કારણે બાળકોને વિવિધ રોગ થાય છે.
જંકફૂડને લઈને કેન્દ્ર સરકારે તૈયાર કર્યો છે ડ્રાફ્ટ
શાળાની 50 મીટરના વિસ્તારમાં નહી વેચી શકાય જંકફૂડ
જેને લઈને સરકાર દ્વારા સ્કૂલ પાસે જંકફૂડ ન વેચાય તેવો કાયદો લાગૂ કરવામાં આવશે. સુગર, સોલ્ટ અને ફેડ વધુ હોવાના કારણે બાળકોને રોગ થતા હોય છે. જેને અટકાવવા માાટે સરકાર દ્વારા 7 નવેમ્બરે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો.
સરકાર દ્વારા તૈયાર કરાયો ડ્રાફ્ટ
સરકાર તૈયાર કરેલા ડ્રાફ્ટનો શાળા, વેપારીઓ અને ગ્રાહકો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા. કેન્દ્ર સરકારના જંકફૂડ પરના પ્રતિબંધના નિર્ણયને લોકોએ પણ સાથ આપ્યો છે. લોકોના અભિપ્રાયના આધારે આરોગ્ય મંત્રાલયમાં એપ્રુવલ લેવામાં આવશે.
વિવિધ કંપનીઓના ફ્રી સેમ્પલ પર પણ મુકાયો પ્રતિબંધ
સ્કૂલના સ્પોર્ટ્સ ઇવેન્ટ કે અન્ય કાર્યક્રમોમાં કંપનીઓ તરફથી જંક ફૂડની એડ અને તેના ફ્રી સેમ્પલ વહેંચવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. સ્કૂલોમાં હવે ઈવેન્ટ માટે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ તરફથી સ્પોન્સરશિપ મળી શકશે નહીં. સ્કૂલ કેફેટેરિયા અને ડે કેર સેન્ટર્સ માટે મેનુ પસંદ કરવાના દિશા નિર્દેશ જારી કરાયા છે તેમાં દૂધ, ઇંડાં, ચિકન, પનીર, ફિશ, ઓછી ફેટવાળું ટોન્ડ મિલ્ક વગેરેનો સમાવેશ કરવા અને વ્હાઇટ બ્રેડ, પેકેજ્ડ સુપથી બચવાનું સૂચન કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં ચલાવાયું અભિયાન
મહારાષ્ટ્રની 10 હજાર સ્કૂલો-કોલેજોની કેન્ટિનમાંથી હવે ધીરેધીરે જંક ફૂડ સંપૂર્ણપણે બહાર કરવામાં આવશે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિશસ્ટ્રેશને સ્કૂલ-કોલેજોની કેન્ટિન માટે ગાઈડલાઈન્સ બાદ આ લાગુ કરવા માટે જાગરૂકતા અભિયાન શરૂ કર્યું છે. તેનો ઉદેશ્ય છે આરોગ્યપ્રદ ભોજનસામગ્રીને વધુમાં વધુ પ્રોત્સાહન આપવું.