ગાંધીનગર: નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારે વધારાની સહાય મંજૂર કરી છે. કેન્દ્ર સરકારે નર્મદા યોજના માંટે રૂ.1131 કરોડની વધારાની સહાય મંજૂર કરી છે જેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી.
સહાયની મંજૂરીને લઈને નીતિન પટેલે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. આ સાથે નીતિન પટેલે જણાવ્યુ હતું કે વધારાની સહાયથી નર્મદા યોજનાની કામગીરી વધુ ઝડપી બનશે. પીવાના પાણી માટેની આ યોજના વર્ષ-2019માં પૂર્ણ થશે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.
આપને જણાવી દઇએ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી નર્મદા નદીમાં જોવા મળતી પાણીની સમસ્યાને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ખેડૂતો દ્વારા નર્મદાનું પાણી સિંચાઇ માટે આપવાનું બંધ કરવામાં આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
જો કે રાજ્યની વિધાનસભામાં વિપક્ષો દ્વારા પણ નર્મદાના પાણીને લઇને વારંવાર સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહી છે ત્યારે કેન્દ્ર સરકારની આ સહાય મળતા રાજ્ય સરકાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ.