કોરોના વાયરસના વધતા પ્રકોપને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, તાજેતરમાં ન્યૂઝ એજન્સી ANIના હવાલાથી મળતી માહિતી મુજબ આ સમયગાળામાં સરકાર વધારો કરી શકે છે. નોંધનીય છે કે, આ મામલે કેટલાય રાજ્યોની સરકારે કેન્દ્ર સરકારને લોકડાઉનની અવધિ વધારવાની અપીલ કરી છે.
દેશમાં કોરોના વાયરસનો આંતક
14 એપ્રિલથી વધી શકે છે લોકડાઉનનો સમયગાળો
ઉલ્લેખનીય છે કે, દેશમાં લોકડાઉન છે તેમછતાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આ ઘટનાને ધ્યાને રાખીને કેટલાક નિષ્ણાંતોએ કેન્દ્ર સરકારને લોકડાઉનને સમયગાળો વધારવા માટેના સૂચનો મોકલ્યા છે. ત્યારે સરકાર હવે આ સંદર્ભમાં વિચારી શકે છે.
21 દિવસ દેશમાં લોકડાઉનની કરી જાહેરાત
દેશમાં કોવિડ -19 ની વધતી સંખ્યાને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 માર્ચથી દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. લોકડાઉન 14 એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા ચર્ચા હતી કે કેન્દ્ર સરકાર એવા વિસ્તારોમાંથી લોકડાઉન દૂર કરી શકે છે જે કોરોનાના હોટસ્પોટ નથી. આ દરમિયાન એવા અહેવાલો પણ આવ્યા હતા કે તેલંગાણા સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રીઓની બેઠકમાં લોકડાઉન 3 જૂન સુધી લંબાવવાની વિનંતી કરી હતી. જો કે પછીથી તેલંગણા સરકારે તેને નકારી કાઢી હતી.
લોકડાઉનનું પાલન કરે લોકો : આરોગ્ય મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય જણાવ્યું હતું કે, એક અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે, એક આદમી 30 દિવસમાં 406 લોકોને ઇનફેક્ટ કરી શકે છે. જો આપણે લોકડાઉન કરી દઇએ કે, તો એક વ્યક્તિ માત્ર 2.5ને જ ઇન્ફેક્ટ કરી શકે છે. માટે લોકડાઉનનું પાલન કરવું જરૂરી છે. કેટલીય જગ્યાએ આ આદેશનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું તો ફાયદો જોવા મળ્યો છે. જેમ કે, નોઇડા, ભીલવાડા અને પૂર્વ દિલ્હી.
જો કે, ગઇકાલે પ્રકાશ જાવડેકર આપી ચૂક્યા છે નિવેદન
પ્રકાશ જાવડેકરે કહ્યું કે અમે દરેક મિનિટે દુનિયાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. રાષ્ટ્રહિતમાં નિર્ણય લેવામાં આવશે. યોગ્ય સમય આવશે ત્યારે આના પર નિર્ણય લેવામાં આવશે અને તમને લોકોને માહિતી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે અધિકારીઓ કેટલાક સમૂહ સ્થિતિ આંકલન કરી રહ્યા છે.
દેશમાં વધી રહ્યા છે કોરોના વાયરસના દર્દી
નોંધનીય છે કે,દેશમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો. દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર દર્દીઓની સંખ્યાએ ચાર હજારનો આંકડો પાર કરી લીધો છે. ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 109 લોકોના મોત થઇ ચૂક્યા છે અને 4067 આના સંક્રમણના શિકાર થયા છે. ત્યારે ઠીક થનારા દર્દીઓની સંખ્યા 232 છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન 32 લોકોના મોત થયા છે અને 693 નવા કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના વધતા કેસને જોતા દેશમાં 21 દિવસ માટે લોકડાઉન ચાલી રહ્યું છે જે 14 એપ્રિલ સુધી ચાલશે.