કોરોના વાયરસને લઈને ઈન્ડસ્ટ્રીને રાહત મળી રહે તે માટે કેન્દ્ર સરકાર જલ્દી જ નાણાંકીય પેકેજની જાહેરાત કરી શકે છે. રાષ્ટ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકારની પોતાની સીમાઓ છે અને દરેકને બચાવવા માટે અમે અમારા શક્ય પ્રયાસ કરી રહ્યા છીએ.
નીતિન ગડકરીએ આપ્યા આ સંકેત
સરકાર જલ્દી જ કરી શકે છે રાહત પેકેજની જાહેરાત
પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલવામાં આવ્યા છે સંકેત
તેલંગાણાની ઈન્ડસ્ટ્રી અને કોમર્સ મેમ્બર્સના વીડિયો કોન્ફરન્સિંગની મદદથી વાતચીત સમયે તેઓએ કહ્યું કે લગભગ 2-3 દિવસની અંદર જ સરકાર રાહત પેકેજનું એલાન કરી શકે છે.
નાણામંત્રાલય અને પીએમઓને મોકલવામાં આવી છે અરજી
નીતિન ગડકરી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રી છે. તેઓએ કહ્યું કે MSME મંત્રાલયે પણ નાણાંમંત્રાલયને અને પ્રધાનમંત્રી કાર્યાલયને પોતાની અરજી મોકલી છે. ગયા મહિને ગડકરીએ કહ્યું કે કેન્દ્ર સરકાર 1 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજ પર કામ કરી રહી છે. જેથી એ નક્કી કરી શકાય કે નાના કારોબારને સમયાંતરે બાકીનું રિફંડ મળી શકે જેથી નક્કી થઈ શકે કે નાના રોજગારને કોઈ તકલીફ ન પડે.
MSME પર થઈ છે લોકડાઉનની મોટી અસર
મહત્વનું છે કે, લોકડાઉનને MSME ક્ષેત્ર પર સૌથી વધુ અસર પડી છે, જે દેશના જીડીપીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને લાખો લોકોને રોજગારી આપે છે. જોકે, ગરીબ, ખેડુતો અને નાના ઉદ્યોગપતિઓ માટે નાણાં મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ ઘણા પગલા લીધા છે. પરંતુ આ હોવા છતાં, એમએસએમઇ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે હજી ઘણા પગલાં લેવાની જરૂર છે. સોમવારે ગડકરીએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તમામ ઉદ્યોગોને સતત ટેકો આપશે. તેમણે કહ્યું કે ઉદ્યોગોએ પણ સમજવું પડશે કે સરકારની આર્થિક સ્થિતિ પણ દબાણ હેઠળ છે.