કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત સંકલિત વન્ય જીવન રહેણાક વિકાસ યોજના (CSS-IDWH) હેઠળ કેન્દ્ર સરકારે પાછલાં ત્રણ વર્ષમાં સિંહના સંવર્ધન માટે રૂ.ર૩.૧૬ કરોડ, હાથી માટે રૂ.૭પ.૮૬ કરોડ અને વાઘ માટે રૂ.૧૦૧૦.૬૯ કરોડ આપ્યા છે.
ભારત સરકારે ગુજરાત સરકાર સાથે મળીને કુલ રૂ.૯૭.૮પ કરોડનું અંદાજપત્ર ધરાવતા એક એશિયાિટક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યપ્રધાન બાબુલ સુપ્રિયોએ આ માહિતી રાજ્યસભામાં તા.૮ જુલાઇના રોજ સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં આપી હતી.
કેન્દ્ર સરકારે આ યોજના અંતર્ગત એશિયાઇ સિંહના સંવર્ધન માટે વર્ષ ર૦૧૬-૧૭, ર૦૧૭-૧૮ અને ર૦૧૮-૧૯માં અનુક્રમે રૂ.૧.૦૯ કરોડ, રૂ.ર.ર૪ કરોડ અને રૂ.૧૯.૮૩ કરોડ આપ્યા હતા તેવી જ રીતે સીએસએસ- પ્રોજેકટ એલિફન્ટ અંતર્ગત રૂ.ર૧.ર૦ કરોડ, રૂ.ર૪.૯૦ કરોડ અને રૂ.ર૯.૭૬ કરોડ આ જ સમયગાળામાં આપ્યા હતા.
સીએસએસ-પ્રોજેક્ટ ટાઇગર અંતર્ગત રૂ.૩૪ર.રપ કરોડ, રૂ.૩૪પ કરોડ અને રૂ.૩ર૩.૪૪ કરોડ છેલ્લાં ત્રણ વર્ષમાં આપ્યા હતા.ગીરમાં રાજ્યના વન વિભાગે પાણિયા, મિતિયાળા અને ગિરનારને અભયારણ્ય તરીકે જાહેર કરીને વધારાનો રૂ.ર૩૬.૭૩ કિલોમીટરનો વિસ્તાર સિંહના વસવાટ તરીકે જાહેર કર્યો છે. ગુજરાત સરકારે સિંહના સંવર્ધન માટે પાંચ વર્ષના ગાળા માટે રૂ.ર૩૧.૦૦ કરોડની ફાળવણી કરી છે.