કોરોનાની ત્રીજી લહેર પહેલા કેન્દ્ર સરકારે કોરોના ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ સુધી લંબાવીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તહેવારમાં કેસો ન વધે તેવી અગમચેતી રાખવાનું જણાવ્યું છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના પાઠવ્યો પત્ર
તહેવારોમાં કોરોનાના કેસો ન વધે તેની તકેદારી રાખવાનું જણાવ્યું
કોરોના ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ સુધી લંબાવી
કેન્દ્ર સરકારની ચેતવણી
દેશમાં કોરોના મહામારી હજુ પૂરી થઈ નથી
22 જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યાં છે
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે R' factor, તરીકે જાણીતા વાયરસની ફરીથી પેદા થનાર સંખ્યા 1 ની નીચે છે પરંતુ કેટલાક રાજ્યોમાં વધારે છે. આર ફેક્ટરમાં વધારો ન થાય તે માટેના તમામ પગલાં લેવા જોઈએ. તે ઉપરાંત જે રાજ્યોમાં પોઝિટીવીટી રેટ વધારે છે ત્યાં પણ કડકમાં કડક પગલા ભરવા જોઈએ.
Ministry of Home Affairs (MHA) extends till August 31st 2021, its order to ensure compliance to containment measures for #COVID19.
ભીડભાડવાળા વિસ્તારોમાં કોરોનાના નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે
આગામી સમયમાં આવી રહેલા તહેવારો તરફ રાજ્યોનું ધ્યાન દોરતા અજય ભલ્લાએ રાજ્યોને કહ્યું કે ભીડભાડવાળા વિસ્તારોમાં કોરોનાના નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે તે માટેના તમામ પગલાં લેવાવા જોઈએ.
બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી કોરોનાના અટકાવ માટેના પહેલેથી જારી નિયમો સુનિશ્ચિત કરવાનો આદેશ જારી કર્યો. મંત્રાલય વતી અપાયેલ આદેશાનુસાર કોરોના મહામારી અંગેના દિશાનિર્દેશો પહેલાની જેમ જ ચાલુ રહેશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેની અઠવાડિક હેલ્થ બ્રીફિંગમાં આ માહિતી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે કુલ 22 જિલ્લા, 7 જિલ્લા કેરળના, 5 મણીપુરના, 3 મેઘાલયના, માં છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. આ ગંભીર ચિંતાનો વિષય છે.
ઘટાડાના રેટમાં ઘટાડો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય
લવ અગ્રવાલે કહ્યું કે કોરોનાનો અઠવાડિક એવરેજ કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ જો આપણે અગાઉના કેસોની તુલના હાલના કેસો સાથે કરીએ તો આપણને જણાશે કે તેના ઘટાડો ચિંતાનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકાર આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વાત કરી રહી છે.
વેક્સિનને કારણે 98 ટકા કેસોમાં જીવન બચી જાય છે
તેમણે કહ્યું આગામી તહેવારો પહેલા વેક્સિનેશનમાં ઝડપ લાવવાની ખૂબ જરુર છે. કારણ કે વેક્સિનને કારણે 98 ટકા કેસોમાં જીવન બચી જાય છે. નીતિ આયોગના મેમ્બરે વીકે પૌલે જણાવ્યું કે કોઈ પણ વેક્સિન 100 ટકા ગેરન્ટી આપતી નથી પરંતુ આપણી સહિત તમામ વેક્સિન ગંભીર બીમારી કે રોગનો જળમૂળથી ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે. મોતના જોખમ પણ લગભગ ઘટી જાય છે.