કોરોનાના દર્દીઓને મ્યુકોરમાઇકોસિસ કવક સંક્રમણ જોવા મળી રહ્યુ છે તેને લઈને કેન્દ્ર સરકારે આ સંબંધમાં કેટલાક સૂચનો જારી કર્યા છે.
કોરોનાના દર્દીઓને મ્યુકોરમાઇકોસિસ કવક સંક્રમણ જોવા મળી રહ્યુ છે
જો ધ્યાન ન આપવામાં આવ્યુ તો આ જીવલેણ થઈ શકે છે
... આ મ્યુકોરમાઇકોસિસનો શંકાસ્પદ મામલો હોઈ શકે છે
કોરોનાના દર્દીઓને મ્યુકોરમાઇકોસિસ કવક સંક્રમણ જોવા મળી રહ્યુ છે
કેન્દ્રએ રવિવારે કહ્યુ કે અનિયંત્રિત ડાયબિટીસ અને લાંબા સમય સુધી આઈસીયુમાં રહેનારા કોરોનાના દર્દીઓને મ્યુકોરમાઇકોસિસ કવક સંક્રમણ જોવા મળી રહ્યુ છે અને જો ધ્યાન ન આપવામાં આવ્યુ તો આ જીવલેણ થઈ શકે છે. કેન્દ્ર સરકારે આ સંબંધમાં જારી સૂચનોમાં કહ્યું છે કે કવક સંક્રમણ ખાસ કરીને તે લોકોને સંક્રમણ ખાસ કરીને તે લોકોને સંક્રમિત કરે છે જેમની સારવાર ચાલી રહી છે અને તેમનામાં પર્યાવરણમાં હાજર રોગાણુઓ સામે લડવાની શક્તિ ઘટી જાય છે.
જો ધ્યાન ન આપવામાં આવ્યુ તો આ જીવલેણ થઈ શકે છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને આઈસીએમઆર દ્વારા બિમારીની નિગરાની, તપાસ અને સારવાર માટે તથ્ય આધારિત ગાઈડલાઈન જારી કરીવમાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે મ્યુકોરમાઇકોસિસની સારવાર ન કરવામાં આવે તો આ જીવલેણ બની શકે છે. હવામાં હાજર કવકના શ્વાસના રસ્તે શરીરની અંદર પહોંચવા પર વ્યક્તિનું સાઈનસ અને ફેંફસા અસરગ્રસ્ત થાય છે.
... આ મ્યુકોરમાઇકોસિસનો શંકાસ્પદ મામલો હોઈ શકે છે
સૂચનમાં કહેવામાં આવ્યુ છે કે દુખાવો, આંખ અને નાકની પાસે સ્કીનનુ લાલ થવું, તાવ, માથાનો દુખાવો, ખાસી, શ્વાસ લેવામાં સમસ્યા, લોહીની ઉલ્ટી, માનસિક સ્થિતિમાં ફેરફાર જૈવા તેના લક્ષણો છે. કેન્દ્રએ કહ્યુ કે ડાયબિટીસ અને નબળી રોગ પ્રતિકારક શક્તિવાળા કોરોનાના દર્દીમાં નાસિકા સૂજન, ચહેરાની એક તરફ દુખાવો, નાકની રેખા પર કાળાપણુ, દુખાવાની સાથે ઘૂંઘળુ દેખાવુ, છાતીમાં દુખાવો, ત્વચામાં ફેરફાર અને શ્વાસ લેવામાં સમસ્યા થવા પર મ્યુકોરમાઇકોસિસનો શંકાસ્પદ મામલો હોઈ શકે છે.
એન્ટીફંગલ દવાનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ
આઈસીએમઆર- સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહમાં કહેવામાં આવ્યુ છે કે આ બિમારીથી સૌથી મોટુ સંકટ, ડાયબિટીશનું અનિયંત્રિત થવું, સ્ટ્રોયડના કારણે પ્રતિરક્ષણ ક્ષમતામાં અછત, લાંબા સમય સુધી આઈસીયૂમાં રહેવુ, નુકસાનકારક તથા વોરીકોનાજોલ પદ્ધતિની સારવાર છે. સૂચનમાં કહેવામાં આવ્યુ છે કે આ બિમારીથી બચવા માટે કોવિડ 19ના દર્દીને રજા આપ્યા બાદ પણ લોહીમાં ગ્લૂકોઝ પર નજર રાખવી જોઈએ. સ્ટોયડના ન્યાયોચિત તથા યોગ્ય સમય પર ઉપયોગ થવો જોઈએ. ઓક્સિજનની પદ્ધતિ દરમિયાન અછતમાં સ્પષ્ટ અને સંક્રમણમુક્ત પાણીનો ઉપયોગ થવો જોઈએ, એન્ટીબાયોટિક અને એન્ટીફંગલ દવાનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ.