દેશમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ભારતમાં અત્યારસુધીમાં 4,370,128 થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. આ સાથે જ દેશના અનેક રાજ્યોએ પાબંદીઓમાં છૂટછાટ આપી છે. કોરોના સંક્રમણમાં વિદ્યાર્થીઓને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.
દેશમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ
અનેક રાજ્યોએ પાબંદીઓમાં આપી છૂટછાટ
વિદ્યાર્થીઓની પરીક્ષાઓ માટે ગાઈડલાઈન કરી જાહેર
સ્ટાફ અને પરીક્ષાર્થીએ સ્વાસ્થ્યની આપવી પડશે જાણકારી
કોરોના સંક્રમણની સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્કૂલ અને કોલેજોની પરીક્ષાને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં પરીક્ષાના સમયે સાવધાનીના અનેક નિયમો વિશે જણાવાયું છે. મંત્રાલયે નક્કી કર્યું છે કે દરેકે છીંકતા અને ખાંસી ખાતી સમયે મોંઢું ઝાંકવું. સાથે જ કોઈ જગ્યાએ થૂંકવાની પરમિશન નથી. જે વિદ્યાર્થી કોરોનાથી પીડિત છે તેની પર વિચાર ચાલી રહ્યો છે. જે વિદ્યાર્થીઓ કન્ટેનમેન્ટ ઝોનમાં છે તેની પર પરીક્ષા એજન્સીઓને વિચાર કરવાનું કહેવામાં આવ્યું છે. તેમાં વિશ્વવિદ્યાલય પણ સામેલ છે. સ્ટાફની સાથે પરીક્ષાર્થીએ પોતાના સ્વાસ્થ્યની જાણકારી આપવાની રહેશે.
આ વાતોનું રાખવું પડશે ધ્યાન
સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે પરીક્ષાર્થીઓને આ વિશેની જાણકારી આપવામાં આવશે. એડમિટ કાર્ડની સાથે તેમને પાણી અને સેનેટાઈઝર જેવી કઈ વસ્તુઓ લઈ જવાની પરમિશન હશે તેની પર વિચાર કરાશે. મંત્રાલયે કહ્યું કે પરીક્ષાર્થીઓની સાથે મોટી સંખ્યામાં પેરન્ટ્સ પણ આવે છે અને તેઓ સતત ત્યાં જ રહે છે. આ સમયે સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી રહેશે. તેમને સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે માસ્ક લગાવવું પણ ફરજિયાત રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓ સતત વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્લોટમાં પરીક્ષા લેવાનું વિચારવામાં આવી રહ્યું છે.