કેન્દ્રના કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 13 ટકાનો વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયથી પાંચ અને છઠ્ઠા પગારપંચ અંતર્ગત સેલરી મેળવતા કર્મચારીઓને લાભ થશે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર
કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
1 જાન્યુઆરી 2022થી મળશે લાભ
કેન્દ્રના કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 13 ટકાનો વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયથી પાંચ અને છઠ્ઠા પગારપંચ અંતર્ગત સેલરી મેળવતા કર્મચારીઓને લાભ થશે. સરકારે હાલમાં જ સાતમા પગારપંચ અંતર્ગત ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો.
મોંઘવારી ભથ્થામાં થયો વધારો
કેન્દ્રની આ પ્રકારની જાહેરાત બાદ પાંચમા પગારપંચ અંતર્ગત સેલરી મેળવનારા કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધીને 368 ટકાથી 381 ટકા થઈ ગયું છે. તો વળી છઠ્ઠા પગારપંચ અંતર્ગત સેલરી મેળવતા કર્મચારીઓને 196 ટકાની જગ્યાએ 203 ટકા મોંઘવારી ભથ્થુ મળશે.
1 જાન્યુઆરી 2022થી મળશે લાભ
નાણામંત્રાલય અંતર્ગત આવતા expenditure department તરફથી તેને લઈને એક નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. કર્મચારીઓને વધેલુ ડીએ 1 જાન્યુઆરી 2022થી મળશે. તેની સાથે જ આ કર્મચારીઓને 3 મહિનાનું એરિયર પણ આપવામાં આવશે.
હાલમાં 3 ટકાનો કર્યો હતો વધારો
અહીં ઉલ્લેખનીય છે કે, સરકારે હાલમાં જ કર્મચારીઓના ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો. તેની સાથે જ કર્મચારીઓના ડીએ વધીને કુલ 34 ટકા થઈ ગયા હતા. કર્મચારીઓને જાન્યુઆરીથી તેનો લાભ લઈ શકશે. તેની સાથે જ તેમને 3 મહિનાનું એરિયર પણ આપવામાં આવશે. મોંઘવારી ભથ્થા વધવાથી કેન્દ્રીય કર્મચારીઓને અન્ય ભથ્થા પણ વધી જશે. તેમાં ટ્રાવેલ અલાઉંસ અને હાઉસ રેંટ અલાઉંસમાં પણ વધારો થશે.
ક્યા આધારે થાય છે ડીએમાં વધારો
કર્મચારીઓના ડીએમાં વધારાની ગણતરી તેમની બેસિક સેલરીના આધારે થાય છે. એટલે કે, કોઈ પણ કર્મચારીની બેસિક સેલરી 21 હજાર રૂપિયા છે, તો તેને હવે 31 ટકાની જગ્યાએ 34 ટકાના હિસાબે ડીએ આપવામાં આવશે. એટલે કે, બેસિક સેલરીના 34 ટકા જોડીને વેતનમાં વધારો થશે. આ ઉપરાંત બાકી ભથ્થામાં પણ વધારો થવાના કારણે કર્મચારીઓની સેલરીમાં બંપર વધારો થશે.