જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુખ અબ્દુલ્લા પર સરકારે PSA (Public Safety Act) લગાવી દીધો છે. PSA એક્ટ હેઠળ કોઇપણ વ્યક્તિને સરકાર વધુમાં વધુ 2 વર્ષ સુધી વિના કોઇ ટ્રાયલ અટકાયતમાં રાખી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ફારૂક અબ્દુલ્લા પર લાગ્યો PSA
વિના કોઇ સુનાવણીએ 2 વર્ષ રાખી શકાશે નજરબંધ
ફારુખની ધરપકડ પર કેન્દ્ર સરકારને નોટિસ, 30 સપ્ટેમ્બર સુધી જવાબ આપે
સરકારે આ પગલુ એવા સમયે ઉઠાવ્યો છે, જ્યારે એમડીએમકેના નેતા વાઇકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ફારુખ અબ્દુલ્લાને નજરબંધથી મુક્ત કરી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાની માંગ કરી છે. રવિવારની રાત્રે ફારુખ અબ્દુલ્લા પર PSA એક્ટ લગાવી દીધો છે.
નોંધનીય છે કે જમ્મૂ કાશ્મીરમાં પબ્લિક સેફ્ટી એક્ટ વર્ષ 1978માં તાત્કાલિક શેખ અબ્દુલ્લાની સરકાર દ્વારા લાગૂ કરવામાં આવ્યો હતો. આ કાનૂન સરકારને સત્તા આપે છે કે તે વિના ટ્રાયલે કોઇપણ વ્યક્તિને વધુમાં વધુ 2 વર્ષ સુધી અટકાયતમાં રાખી શકે છે. આ કાનૂન શેખ અબ્દુલ્લા સરકારે ત્યારે લાકડાની તસ્કરી પર લગામ લગાવવાના ઉદ્દેશ્યથી લાગૂ કરાયો હતો.
જોકે, ઘણી ટીકાઓ બાદ પણ આ કાનૂન હજુ સુધી લાગૂ છે. જોકે, વર્ષ 2010માં આ કાનૂનમાં થોડો બદલાવ કરાયો અને તેની હળવો બનાવાયો. બદલાવ હેઠળ પહેલીવાર ભૂલ કરનાર આરોપીને આ કાનૂન હેઠળ વધુમાં વધુ 6 મહીના સુધી અટકાયતમાં રાખી શકે છે. જ્યારે એવી પણ જોગવાઇ કરાઇ છે કે વાંરવાર ભૂલ કરવા પર આરોપીની અટકાયતને 2 વર્ષ માટે વધારી શકાય છે.
આ દરમિયાન એમડીએમકે નેતા વાઇકોની અરજી પર હાઇકોર્ટે સોમવારે સુનાવણી કરી અને તેના પર કેન્દ્ર અને જમ્મૂ કાશ્મીર સરકારનો જવાબ માંગ્યો છે. વાઇકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી માંગ કરી હતી કે ફારુખ અબ્દુલ્લાને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવે. ફારુખ અબ્દુલ્લા જમ્મૂ કાશ્મીરનો વિશેષ રાજ્યોનો દરજ્જો હટાવ્યા બાદથી 5 ઓગસ્ટથી કથિત રૂપે અટકાયતમાં છે. ત્યારે ફારુખ અબ્દુલ્લાને અટકાયતમાં લેવા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી અને 30 સપ્ટેમ્બર સુધી જવાબ આપવા કહ્યું છે.