કેન્દ્ર સરકારે રિટેલર્સ અને હોલસેલર વેપારીઓને MSMEમાં શામેલ કરી લીધા છે.
રિટેલર્સ અને હોલસેલ વેપારીઓને MSMEમાં શામેલ કરવાનો મહત્વનો નિર્ણય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી જાણકારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને ઔતિહાસીક ગણાવ્યો
કેન્દ્ર સરકારે રિટેલર્સ અને હોલસેલ વેપારીઓને MSMEમાં શામેલ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારીના કારણે દેશમાં રિટેલર્સ અને હોલસેલર્સને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. તેનાથી બહાર આવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ નિર્ણયને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઔતિહાસીક ગણાવ્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને આપી જાણકારી
Our government has taken a landmark step of including retail and wholesale trade as MSME. This will help crores of our traders get easier finance, various other benefits and also help boost their business.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું કે અમારી સરકારે રિટેલર્સ અને હોલસેલર્સને MSMEમાં શામેલ કરવાનો ઔતિહાસીક નિર્ણય લીધો છે. તેના દ્વારા આપણા કરોડો વ્યાપારીઓને સરળતાથી લોન મળવામાં મદદ મળશે. તેમને ઘણા અન્ય લાભો પણ મળશે અને તેમનો વ્યાપારને પણ વધારો મળશે. આપણે આપણા વ્યાપારીઓને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ કર્યા છે.
નીતિન ગડકરીએ કર્યું હતું એલાન
कोविड के दूसरे वेव के कारण आई दिक़्क़तों से खुदरा और थोक व्यापारियों पर पड़े असर को ध्यान में रखते हुए अब इसे MSME के दायरे में लाने का फ़ैसला किया गया है।प्रायोरिटी सेक्टर लेंडिंग के अंतर्गत इस सेक्टर को लाकर आर्थिक सहायता पहुँचाने की कोशिश की जा रही है। #MSMEGrowthEngineOfIndia
MSME મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે એક ટ્વીટ કરીને આ વાતનું એલાન કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે એમએસએમઈને મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેનાથી અમે ઈકોનોમિક ગ્રોથમાં મદદ મળશે. આ વિશે સરકારની સંશોધિત ગાઈડલાઈન્સથી અઢી કરોડ રિટેલ અને હોલસેલ વેપારીઓને ફાયદો થશે. સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે કોરોના મહામારીની બીજી લહેરના કારણે આવેલી મુશ્કેલીઓને જોતા આ નિર્ણય લેવામાં આવ્યા છે.