કોરોના સંકટમાં લૉકડાઉનને કારણે સમગ્ર દેશ અને અર્થતંત્ર ઠપ્પ થયું છે ત્યારે તેને વેગ આપવા માટે ગૃહમંત્રાલયે મોડી રાત્રે તમામ પ્રકારની દુકાનોને ખોલવાની મંજૂરી આપી દીધી છે. 50 ટકા સ્ટાફ અને ગાઈડલાઈનનું પાલન કરીને દુકાનો ખોલી શકાશે તેમ ગૃહમંત્રાલયના ઓર્ડરમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે દુકાનો ખોલવા અંગેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારનો રહેશે.