કર્મચારીઓના રિટાયરમેન્ટની ઉંમર ઘટાડવાને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણયને લઈને સરકારે કોઈ પણ ચર્ચા કરી નથી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓને માટે રિટાયરમેન્ટની ઉંમર 60 વર્ષની છે. હાલમાં માર્કેટમાં ન્યૂઝ છે કે આ ઉંમર 50 વર્ષની થઈ છે, પરંતુ કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે તેને અફવા માત્ર ગણાવી છે.
કર્મચારીઓના રિટાયરમેન્ટને લઈને થયા પ્રશ્નો
શું કર્મચારીઓ 50 વર્ષે રિટાયર્ડ થશે?
નિયમ અનુસાર રિટાયરમેન્ટની ઉંમર 60 વર્ષની છે
મળતી માહિતી અનુસાર કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે એવો કોઈ નિયમ હાલ સુધી બન્યો નથી જેમાં કેન્દ્રીય કર્મચારીઓને 50 વર્ષે રિટાયરમેન્ટ આપવામાં આવે. આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. રિટાયરમેન્ટની ઉંમર 60 વર્ષની જ છે. આ એક અફવા છે.
તેઓએ વધુમાં કહ્યું કે સરકાર આ પ્રકારની અફવાનું ખંડન કરે છે અને સાથે જ કહ્યું કે દેશ હાલમાં કોરોના વાયરસના સંકટનો સામનો કરી રહ્યું છે તે સમયે લોકો પોતાના હિતને ધ્યાનમાં રાખીને સરકારા સારા કામને પાછળ ધકેલવા અને અફવા ફેલાવવામાં લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરના સંકટમાં અર્થવ્યવસ્થામાં ખોટ આવી છે અને આ માટે સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં પણ દોઢ વર્ષ સુધી રોક લગાવી છે. લગભગ 1.5 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ 20-21 સુધી ડીએ નહીં મળી શકે.