કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે એવું જણાવ્યું કે મોટા પાયે પ્રમોશન આપ્યાં બાદ હવે ફરી એક વાર ઘણા ગ્રુપ-એના અધિકારીઓને પ્રમોશન આપવામાં આવશે.
ગ્રુપ-એના અધિકારીઓને મળશે પ્રમોશન
બે-ત્રણ અઠવાડિયામાં થશે એલાન
કેન્દ્રીય કાર્મિક મંત્રી જિતેન્દ્ર સિંહની જાહેરાત
કેન્દ્રીય મંત્રી ડો.જીતેન્દ્રસિંહે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીએ જાણકારી આપી કે સરકાર દ્વારા 1 જુલાઇના રોજ 8000થી વધુ સરકારી કર્મચારીઓને મોટા પાયે પ્રમોશન આપ્યા બાદ હવે ફરી એકવાર અનેક અધિકારીઓને પ્રમોશન આપવાની તૈયારી કરી રહી છે. આગામી બેથી ત્રણ સપ્તાહમાં પ્રમોશનને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. આ અંગે પીઆઈબીએ ટ્વીટ કરીને માહિતી આપી છે. જણાવી દઈએ કે, ગ્રુપ-એ અધિકારીઓને કેન્દ્ર સરકાર દ્વારા આગળના સ્લોટમાં બઢતી આપી શકાય છે. કેન્દ્રીય સચિવાલય ઓફિશિયલ લેંગ્વેજ સર્વિસ ગ્રૂપ-એના અધિકારીઓના એક પ્રતિનિધિમંડળે આજે કેન્દ્રીય પ્રધાન ડો.જિતેન્દ્રસિંહ સાથે મુલાકાત કરી હતી અને તેમને તેમની બાકી રહેલી બઢતીથી વાકેફ કર્યા હતા. તેમણે પ્રતિનિધિમંડળને કહ્યું કે તેમની માંગણીઓ પર વિચાર કરવામાં આવશે. સાથે જ આપવામાં આવતી અડચણો દૂર થશે.
Union Minister @DrJitendraSingh says, after granting mass promotion to over 8,000 government employees on the 1st of July, DoPT is now ready with next lot of officers who will get promotion in the next two to three weeks
સર્વિસ ગ્રુપ-એના અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્રસિંહને મળ્યું હતું. આ દરમિયાન મંત્રીએ તેમને ખાતરી આપી હતી કે કાયદા પ્રમાણે તેમને પ્રમોશન આપવામાં આવશે.
1 જુલાઈએ 8000થી વધુ કર્મચારીઓને પ્રમોશન અપાયું હતું
1 જુલાઈ, 2022 ના રોજ, કેન્દ્ર સરકારે ત્રણ કેન્દ્રીય સચિવાલય કેડરમાં 8,000 થી વધુ કર્મચારીઓને બઢતી આપવા માટે સૂચનાઓ આપી હતી. સેન્ટ્રલ સેક્રેટરિએટ સર્વિસ એ એડમિનિસ્ટ્રેટિવ સિવિલ સર્વિસીસમાંની એક છે, જેમાં કર્મચારીઓ ગ્રુપ એ અને ગ્રુપ બીની જગ્યાઓ પર કામ કરે છે.
ભવિષ્યની તમામ ભરતીઓ વ્યવસ્થિત રીતે થશે
ડો.જિતેન્દ્રસિંહે કહ્યું કે સરકારી કર્મચારીઓ માટે કોઈ બઢતી વિના સેવામાંથી નિવૃત્ત થવું નિરાશાજનક છે. તેમણે આ સમગ્ર મામલે વ્યક્તિગત રસ લેવા બદલ પીએમ નો આભાર માન્યો હતો. "હવેથી, ભવિષ્યમાં તમામ બઢતીઓ સુવ્યવસ્થિત કરવામાં આવશે.