દેશમાં વધી રહેલા કોરોનાના કેસને લઇને કેન્દ્ર સરકારે હોમઆઇસોલેશન માટે જાહેર કર્યા દિશા નિર્દેશ
હોમઆઇસોલેશન માટે કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશ
સાત દિવસ સુધી પોઝીટીવ પરીક્ષણ કરાવવુ
કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવું
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તેમાં પણ હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોનના કેસ પણ નોંધાઇ રહ્યા છે. આ બધા વચ્ચે મેડિકલ સુવિધા લોકોને પુરતા પ્રમાણમાં અને ત્વરિત મળી રહે તે માટે કેન્દ્ર સરાકરે કેવા દર્દીઓએ હોમ આઇસોલેટ થવુ જોઇએ તે અંગે કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યા છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને હોમઆઇલેશનમાં રાખવા માટે કેટલાક નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. ઓછામાં ઓછા સાત દિવસ સુધી દર્દીઓ પોઝિટીવ પરીક્ષણ અને સતત 3 દિવસ સુધી તાવ ન આવે તો આઇસોલેશનનો સમયગાળો સમાપ્ત થઇ શકશે. જો કે તે બાદ દર્દીઓ સામાજિક અંતરનુ પાલન કરવુ અને માસ્ક પહેરવુ જરૂરી રહેશે. હોમ આઇસોલેશનનો સમયગાળો પુરો થયા બાદ ફરીથી કોવિડ ટેસ્ટ કરાવાવની જરૂર રહેશે નહી.
હોમઆઇસોલેશન માટે આ દિશા-નિર્દેશ
એ સિમ્ટોમેટીક દર્દીઓએ હોમ ક્વૉરન્ટાઇનની જરૂર નહી
સંક્રમિત વ્યક્તિઓ પોતાની વસ્તુઓ અલગ રાખે
બ્લડ, ઓક્સિજન અને તાપમાનની નિયમિત તપાસ કરે
જો કંઇ વધ ઘટ આવે તો હોસ્પિટલનો સંપર્ક કરે
હોમઆઇસોલેશનમાં દર્દીએ ત્રિપલ લેયર માસ્ક પહેરવુ
72 કલાક બાદ તે માસ્કને કાપીને પેપર બેગમાં ફેંકી દેવુ
શરીરમાં પાણીની ઉણપ ન થવા દેવી
કોણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર?
હોમ આઇસોલેશન દરમિયાન દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે કે પછી તાવ જ ઉતરે તો આવી સ્થિતિમાં દર્દીએ તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો. તેમજ પોતાને અન્ય કરતા અલગ રાખવા ખાસ કરીને કો-મોર્બિડ લોકોથી દૂર રહેવુ. દર્દીને ક્રોસ વેન્ટિલેશનની સાથે હવાની અવરજવર રહે તેવા જ રૂમમાં રહેવુ . તાજી હવા માટે બારીઓ પણ ખુલ્લી રાખવી. દર્દીએ પોતાની સાથે ઓક્સિમીટર સાથે રાખીને દર કલાકે ઓક્સિજન લેવલ તપાસતા રહેવુ જોઇએ.
કઇ દવા લેવી ?
દિવસમાં ચાર વખત 650મિલીગ્રામ પેરાસિટામોલ લેવાથી તાવ કંટ્રોલમાં રહે છે. જો કે ડોક્ટરની સલાહ સૂચન મુજબ દવા લેવી. નવા દિશા-નિર્દેશોમાં દર્દીઓને ગરમ પાણીના કોગળા કરાવવા. દિવસમાં બેથી 3 વાસ નાસ લેવો. ડોક્ટરની સલાહ લીધા બાદ જ લોહી, છાતીનો એક્સે તથા સીટી સ્કેન કરાવવુ તેમ જણાવવામાં આવ્યુ છે.
સ્ટીરોઇડ લેવાથી બચો
દર્દીઓએ પોતાની જાતે જ સ્ટીરોઇડ દવા લેવાનુ ટાળવુ જોઇએ. નવી માર્ગદર્શિકામાં જણાવ્યુ છે કે સ્ટીરોઇડ્સનો વધુ પડતો ઉપયોગ અને અયોગ્ય ઉપયોગ જોખમી નિવડી શકે છે.એવું પણ કહેવામાં આવ્યું છે કે સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર રાજ્ય આરોગ્ય સત્તામંડળની સંપૂર્ણ દેખરેખ હેઠળ હોમ આઇસોલેશનમાં દર્દીની દેખરેખ માટે જવાબદાર રહેશે
વડીલોને હોમ આઇસોલેશનના દિશા-નિર્દેશ
60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો કે જેઓ પહેલેથી જ બીમાર છે તેઓને તેમના તબીબી અધિકારી દ્વારા યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જ હોમ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવશે. માર્ગદર્શિકા જણાવે છે કે ઇમ્યુનોકમ્પ્રોમાઇઝ્ડ પરિસ્થિતિઓ (એચઆઇવી, ટ્રાન્સપ્લાન્ટ પ્રાપ્તકર્તાઓ, કેન્સર થેરાપી વગેરે) થી પીડાતા દર્દીઓ માટે હોમ આઇસોલેશનની ભલામણ કરવામાં આવતી નથી.સારવાર કરનાર તબીબી અધિકારી દ્વારા યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવશે.