કોરોનાનું સંક્રમણ વધતા કેન્દ્ર સરકારે રાજ્યોને કર્યા એલર્ટ, સ્થિતિ કંટ્રોલમાં કરવા આપ્યા નિર્દેશ
કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર ચિંતિત
રાજ્યોને એલર્ટ કરીને જાહેર કરી એડવાઇઝરી
અસ્થાયી હોસ્પિટલ, કંટ્રોલ રૂમ બનાવવા નિર્દેશ
દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જેને લઇને કેન્દ્ર સરકાર ચિંતિત જણાઇ રહી છે. સાથે જ આવનારા સમયને લઇને સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત કરવા માટે પણ કમર કસી છે.શનિવારે કેન્દ્રએ રાજ્યોને દેશમાં કોરોનાના વાયરસનુ સંક્રમણ વધવા અંગેની તપાસ માટે એડવાઇઝરી જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને કોરોના વાયરસના કેસ કાબૂમાં લેવા માટે કેટલાક નિર્દેશો સૂચવ્યા છે.
Union Health Secretary Rajesh Bhushan writes to chief secretaries of all States/UTs on measures to deal with a possible surge in COVID cases; advises them to initiate process of setting up makeshift hospitals & constitute special teams to monitor patients in home isolation pic.twitter.com/NNWJiLsmon
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્ર લખીને સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને અસ્થાયી હોસ્પિટલ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યુ છે. તેમજ કોરોનાના કેસ પર નજર રાખીને કંટ્રોલ રૂમ બનાવવાની સલાહ આપી છે. સાથે જ જિલ્લા- ઉપજિલ્લા લેવલે કંટ્રોલ રૂમ સ્થાપિત કરવા અને કોવિડ ડેડિકેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરવા સલાહ આપી છે.
શું જણાવ્યુ પત્રમાં ?
પત્રમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાના કેસમાં તેજી આવી છે જેથી બની શકે છે કે આગળના સમયમાં હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મુશ્કેલીઓ આવી શકે. જેથી ફિલ્ડ લેવલે અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવે સાથે જિલ્લા સ્તરે પણ સર્વેલન્સ સક્રિય કરવામાં આવે.
દેશમાં 31 ડિસેમ્બરે સૌથી વધુ કેસો નોંધાયા
ભારતમાં 31 ડિસેમ્બરે 16 હજાર 764 કેસ નોંધાયા હતા જે છેલ્લા 70 દિવસોની સરખામણીમાં સૌથી વધારે કેસ હતા. શુક્રવારે રાજેશ ભૂષણ અને આઇસીએમઆરના પ્રમુખ બલરામ ભાર્ગવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અલગ અલગ જગ્યાઓ પર 24 કલાક રેપિડ એન્ટીજન ટેસ્ટ બૂથ શરૂ કરવા નિર્દેશ આપ્યા હતા. સાથે જ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ કરવો તથા સામાન્ય લક્ષણો ધરાવનાર વ્યક્તિને હોમ ટેસ્ટ કિટનો વપરાશ કરવા માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યુ હતું.