દેશભરની યૂનિવર્સિટી અને કોલેજોમાં ભણતા 3 કરોડ સ્ટૂડેન્ડ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર મોદી સરકાર નજર રાખશે. એક અંગ્રેજી સમાચારમાં છપાયેલ રિપોર્ટમાં એ અંગે દાવો કરાયો છે. રિપોર્ટ મુજબ, સરકાર આ વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા સાથે મળી અને સંસ્થાઓના 'સારા કામો'ની જાણકારી પ્રસારિત કરવા માંગે છે.
અંગ્રેજી સમાચાર ટેલિગ્રાફની રિપોર્ટ મુજબ, સરકારની આ કવાયદને લઇને શંકા ઉભી થઇ રહી છે. કેટલાક શિક્ષણ શાસ્ત્રીઓએ તેના પર ચિંતા દર્શાવી છે. આ એક્સપર્ટ્સને સરકારની આ પહેલમાં 'ખતરનાક' ડિજાઇન નજરે આવી છે.
ડર એ વાતનો છે કે ક્યાંક વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી લેવામાં આવી રહેલી માહિતીઓનો ખોટો ઉપયોગ કરીને તેમની વિચારધારા જાણી લેવામાં આવે અને ફેકલ્ટી ઇન્ટરવ્યૂ દરમિયાન તેમની છટણી (કાઢી મૂકવા) આવે.
યૂનિવર્સિટીના એક ટીચરે કહ્યું કે તેમના એક સ્ટૂડન્ટ્સને ફેકલ્ટીના એક પદ માટે યોજાયેલા ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ કરી દેવામાં આવ્યો છે. ટીચર મુજબ, એવું એટલા માટે કરવામાં આવ્યું કે તે વિદ્યાર્થીની સોશિયલ મીડિયા પોસ્ટ સરકાર વિરોધી હતી.
રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના પ્રમુખોને એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે તમામા સ્ટૂડેન્ટ્સના 'ફેસબુક'(Facebook), 'ટ્વિટર' (Twitter) અને 'ઇન્સ્ટાગ્રામ' (Instagram) ના એકાઉન્ટ સંસ્થાન અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય જેવા સરકારી સંગઠનનોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાથે જોડવામાં આવે. આ સંદર્ભમાં ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજયૂકેશનના સેક્રેટરી આર. સુબ્રમણ્યમની તરફ થી બુધવારે એક લેટર મોકલવામાં આવે છે. અને આ કવાયતમાં દેશની 900 યૂનિવર્સિટી અને 40000 કોલેજોને કવર કરવામાં આવી શકે છે.
આ પત્ર અનુસાર, સોશિયલ મીડિયા સાથે જોડાયેલી આ કવાયતનો હેતુ વિદ્યાર્થીઓ અને સંસ્થાઓની ઉપલબ્ધી લોકો સુધી પહોંચાડવાનો છે. આ હેઠળ દરેક સંસ્થા એક ટીચર અને નોન ટીચિંગ સ્ટાફને સોશિયલ મીડિયા ચેમ્પિયન અથવા એસએમસીનો દરજ્જો આપી શકે છે. લેટર મુજબ, આ એસએમસી બાકી તમામ સંસ્થાઓ અને માનવ સંશાધન મંત્રાલયના સંપર્કમાં રહેશે અને સમય-સમય પર પોતાના વિદ્યાર્થીઓ અને સંસ્થાનના સારા કાર્યો શેર કરશે.