PM Awas Yojana હેઠળ મળેલા ઘરમાં જો તમે નથી રહેતા તો Registered Agreement To Lease રદ્દ કરી દેવામાં આવશે.
PM Awas Yojanaમાં બદલાયા નિયમો
ઘરમાં નહીં રહો તો કેન્સલ થશે ઘર
જાણો અન્ય ફેરફારો વિશે
PM Awas Yojana હેઠળ થતા કૌભાંડને રોકવા માટે કેન્દ્ર સરકારે નિયમોમાં ફેરફાર કરી દીધા છે. જો તમે પણ આ યોજના હેઠળ ઘર લીધુ છે તો 5 વર્ષ સુધી તે ઘરમાં રહેવું હવે જરૂરી કરી દેવામાં આવ્યું છે. જો તમે આ ઘરમાં નથી રહી રહ્યા અથવા તેને ભાડા પર ચઢાવી દો છો તો આ ઘર તમારી પાસેથી પાછુ લેવામાં આવી શકે છે.
સાથે જ જે પૈસા તમે જમા કર્યા છે. તે પણ પરત નહીં મળે. તેનો મતલબ એ થયો છે કે પીએમ આવાસ યોજના હેઠળ મળતા ઘરમાં 5 વર્ષ રહ્યા બાદ જ એગ્રીમેન્ટ લીઝ ડીડમાં ફેરફાર કરવામાં આવશે.
આ નિયમોમાં થયા ફેરફાર
હાલ આ ઘરોનું રજીસ્ટર્ડ અગ્રીમેન્ટ ટૂ લીઝ કરાર આપવામાં આવ્યું છે. હવે કેન્દ્ર સરકાર પાંચ વર્ષ સુધી એ જોશે કે આ ઘરમાં તમે રહી રહ્યા છો કે નહીં. જો તમારૂ Registered Agreement To Lease ડીડમાં ત્યારેજ બદલાશે જ્યારે તમે આ ઘરમાં રહી રહ્યા હોય. આમ ન થવા પર વિકાસ પ્રાધિકરણ તમારી સાથે કરેલા કરારને ખતમ કરી દેશે. સાથે જ તમે જે પૈસા જમા કર્યા છે તે નહીં પરત કરવામાં આવે.
ફ્લેટ નહીં થાય ફ્રી હોલ્ડ
નવા નિયમ અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરોમાં બનાવવામાં આવેલા ફ્લેટ ફ્રી હોલ્ડ નહીં હોય. તેનો ફાયદો એ થશે કે જરૂરીયાતમંદ લોકોને જ હવે આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ ઘર લઈને ભાડા પર લગાવવાનું કૌભાંડ બંધ થઈ જશે. નવા નિયમોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અલોટીનું જો મોત થઈ જાય તો પરિવારના સદસ્યને જ લીઝ ટ્રાન્સફર કરવામાં આવશે. કોઈ અન્યને લિઝ ટ્રાન્સફર નહીં કરવામાં આવે.