કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને મળી અમૂલ્ય ભેટ, રાજ્યમાં હવે બનશે નવા રોડ રસ્તા, રોડ અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી આપ્યુ મહત્વનું નિવેદન
ગુજરાતમાં નવા રોડ રસ્તા બનાવવાની મંજૂરી મળી
કેન્દ્ર સરકારે 3700 કરોડના રોડને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
કેન્દ્ર સરકારે 1 લાખ 23 હજાર કિમી રસ્તાને મંજૂરી
ગુજરાતમાં વિકાસના કાર્યોએ રફતાર પકડી છે. વિવિધ રાજ્યોમાં વિકાસના કાર્યોના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. જનતાની સુવિધા અને સુખાકારી માટે વિકાસના કામોની ભેટ મળી રહી છે. તેમાં પણ જો અમદાવાદની વાત કરીએ તો શહેરમાં ચારેય તરફ વિકાસના કાર્યોની કામગીરી ચાલી રહી છે. ક્યાંક બુલેટ ટ્રેન તો ક્યાંક ઓવરબ્રિજ. ક્યાંક સિક્સલેન વે તો ક્યાંક મલ્ટીલેવલ પાર્કિંગ. ત્યારે હવે ગુજરાતની જનતાને વધુ એકવાર ટ્રાન્સપોર્ટેશનને લઇને રાહતના સમાચાર સામે આવ્યા છે.
કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર વખતે ગુજરાતને થતો હતો અન્યાય
ગુજરાતમાં નવા રોડની કામગીરી માટે મંજૂરી મળી ગઇ છે. કેન્દ્ર સરકારે 3700 કરોડના રોડને મંજૂરી આપી છે. આ અંગે રોડ અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ નિવેદન આપતા જણાવ્યું કે કેન્દ્રસરકારે રાજ્યમાં 1 વાખ 23 કિમી રસ્તાની મંજૂરી આપી છે. તો આ પ્રસંગે તેઓ કોંગ્રેસ પર નિશાનો તાકવાનું ચૂક્યા ન હતા. પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતને અન્યાય થતો હતો.
ગુજરાતમાં નવા બનશે આ રોડ
તેમણે ઉમેર્યુ કે, આ વાર્ષિક પ્લાનમાં રૂ. 350 કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના 12.8 કી.મી.ના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે. જે અંતર્ગત નારોલ જંક્શનથી વિશાલા જંકશન વચ્ચેના છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય રસ્તા તરીકે વિકસાવવામાં આવશે, તેમજ હયાત સાબરમતી નદી પરના પુલને છ-માર્ગીય બનાવાશે. આ ઉપરાંત રૂ.૧૨૮ કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના ૫.૨૮ કી.મી.ની ચાર-માર્ગીય લંબાઇના રસ્તાને છ-માર્ગીય બનાવી એલીવેટેડ કોરીડોર પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવાશે. આ ઉપરાંત રૂા. ૧૧૦ કરોડના ખર્ચે સરખેજ – ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાઇઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે ૪ કી.મી. લંબાઇ ૩ એલીવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશે.
મહુવાથી અમરેલી વચ્ચે રસ્તા પહોળા કરાશે
મંત્રી પૂર્ણેશ મોદીએ વધુમાં એમ પણ જણાવ્યું કે રૂ. 257 કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાધડા સુધીના 50.48 કી.મી.ના 10 મીટર પહોળા રસ્તાનુ નિર્માણ કરાશે. જેના પર બે રેલવે ઓવરબ્રિજ અને નવા પુલનું નિર્માણ થશે. આ રોડ પર 100 કી.મી.ની સ્પીડ સુધી વાહનો દોડી શકશે. આ ઉપરાંત રૂ. 451.50 કરોડના ખર્ચે બાધડા – અમરેલીના 50.48 કી.મી.નો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેમા અમરેલી બાયપાસ તેમજ બગસરા જવા માટે નદીના પુલ તથા રેલવે ઓવરબ્રિજનુ નિર્માણ કરાશે.
૪૫૦ કરોડના ખર્ચે આ રસ્તા કરાશે પહોળા
આ ઉપરાંત રૂ.450 કરોડના ખર્ચે ભિલોડા – શામળાજી નેશનલ હાઇવે 168-G નો નવો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેના પર નવા નાના પુલ તથા ભીલોડા બાયપાસનુ નિર્માણ કરાશે. તે જ રીતે આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગને પણ 10 મીટર પહોળો બનાવી હયાત રસ્તાનુ અપગ્રેડેશન કરાશે. વધુમાં રૂ.. ૨૫૦ કરોડના ખર્ચે જામનગર – કાલવાડ નેશનલ હાઇવે-927-D ને ચાર લેન રસ્તો બનાવાશે. જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારની મંજૂરીની પ્રક્રિયાઓ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.