પોપ્યુલેશન, કેસલોડ અને વેક્સિનેશનની ઝડપના આધાર પર રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોને વેક્સિનના ડોઝની ફાળવણી કરવામાં આવશે.
21 જૂનથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કેન્દ્ર સરકાર આપશે વેક્સિન
રાજ્ય સરકારોને મફત વેક્સિન આપશે
કોરોના વેક્સિનેશન માટે કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઇન
ભારત સરકારે રાષ્ટ્રીય વેક્સિનેશન પ્રોગ્રામ માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે 21 જૂનતી લાગુ કરવામાં આવશે. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે પોપ્યુલેશન, કેસલોડ અને વેક્સીનેશનની ઝડપના આધાર પર રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોને વેક્સિનના ડોઝ ફાળવવામાં આવશે. વેક્સિનનું વેસ્ટેજ ફાળવણીને નેગેટિવ રૂપથી પ્રભાવિત કરશે.
આ પહેલા પીએમ મોદીએ સોમવારે કહ્યું કે હવે 18થી 44 વર્ષની ઉંમરના લોકોના વેક્સિનેશન માટે રાજ્યોને વેક્સિન મફતમાં ઉપલબ્ધ કરવવામાં આવશે અને બે અઠવાડિયામાં તેની સાથે જોડાયેલી ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવશે. તેમણે રાષ્ટ્રના નામે સંબોધનમાં એવું પણ કહ્યું કે આખા દેશમાં દરેક માટે મફત વેક્સિનેશન 21 જૂનથી શરૂ થવાની આશા છે. પ્રધાનમંત્રીએ કહ્યું, "આશા છે કે 21 જૂનથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોને મફત વેક્સિન આપશે. કોઈ પણ રાજ્ય સરકારે વેક્સિન પાછળ એક પણ રૂપિયો ખર્ચ નહીં કરવો પડે."
પ્રોટોકોલ જ છે મોટુ હથિયાર
પીએમ મોદીએ રાજ્યને ચેતવ્યા પણ હતા. કોરોનાના કેસોમાં ઘટાડો થવાના કારણે ઘણા રાજ્યોએ પ્રતિબંધોમાં ઢીલ મુકી છે. આ વચ્ચે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઈ પણ પ્રકારની ઢીલ મુકવા પર લોકોને સાવધાન કર્યા છે. તેમણે કહ્યું કે કોરોના જેવા અદ્શ્ય દુશ્મન વિરૂદ્ધ લડાઈમાં સૌથી પ્રભાવી હથિયાર પ્રોટોકોલનું પાલન છે.