કોરોના મહામારીમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે. આ હેઠળ વિદેશમાં ફસાયેલા ભારતીયોને સગવડ મળશે. જેમની ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ (DL) ની પરમિટ ખતમ થઈ ગઈ છે. કેન્દ્ર તેમના માટે મોટર વ્હીકલ નિયમ, 1989માં સંશોધન કરવા જઈ રહી છે. સંશોધનોથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને મોટી રાહત મળી શકે છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સંશોધન ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે.
કેન્દ્ર સરકારે જાહેર કર્યું ડ્રાફ્ટ નોટિફિકેશન
ડ્રાઈવિંગ લાયસન્સના નિયમમાં કર્યા ફેરફાર
વિદેશમાં ફસાયેલા ભારતીયોને મળશે ખાસ સુવિધા
ભારતીય દૂતાવાસના પોર્ટલ પર કરી શકો છો ઓનલાઈન અરજી
ડ્રાફ્ટ નોટિફિકેશન અનુસાર ભારતના એવા નાગરિક જેમના ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ (DL)ની પરમિટની વેલિડીટી ખતમ થઈ ગઈ છે, તે ભારતીય દૂતાવાસના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. આ અરજીને વાહન પ્લેટફોર્મમાં નાખી દેવામાં આવશે. સંબંધિત આરટીઓ પાસે આ અરજી પહોંચી જશે. ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ પરમિટ માટે વર્તમાન નિયમો હેઠળ મેડિકલ સર્ટિફિકેટ અને કાયદેસરના વેલિડ વિઝાની માહિતી આપવી પડશે. નવા સંશોધનમાં વ્યવસ્થા કરવામાં આવશે કે, જેમની પાસે કાયદેસરનું વેલિડ ડ્રાઈવિંગ લાયસન્સ (DL) છે, તેમણે હવે મેડિકલ સર્ટીફિકેટ આપવાની જરૂરત નથી.
ડ્રાઈવિંગ લાયસન્સ (DL) અને ડોક્યુમેન્ટ્સની વેલિડિટી 31 ડિસેમ્બર સુધી વધી
કેટલાક દેશોમાં વીઝા ઓન અરાઈવલ એટલે કે એરપોર્ટ પર પહોંચવા પર વિઝા ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા હોય છે. આવી સ્થિતિમાં લોકોની પાસે પહેલાથી વિઝા નથી હોતા. આવા મામલામાં પણ આઈપીડીના રિન્યૂએબલ માટે વિઝાની માહિતી આપવી જરૂરી નહીં હોય. મંત્રાલયે આ ડ્રાફ્ટ નોટિફિકેશન પર 30 દિવસની અંદર એટલે કે 6 નવેમ્બર સુધી હિતધારકો પાસે પોતાના સૂચનો અને ભલામણો માંગી છે. આ સૂચનો સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સંયુક્ત સચિવને મેઈલ અથવા એડ્રેસ પર મોકલી શકો છો. સાથે દેશમાં પણ ડ્રાઈવિંગ લાયસન્સ (DL) અને મોટર વાહનના દસ્તાવેજોની વેલિડીટી 31 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવી છે.
ગુજરાતમાં બદલાયા છે નિયમો
ગુજરાતમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો આવે અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં થાય તે હેતુથી મોટર વ્હીકલ એક્ટમાં (Motor Vehicle Act) સુધારો કરવામાં આવ્યો છે. દંડની રકમમાં અનેકગણો સુધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકનાં નિયમનો ભંગ કરનારા વાહનચાલકને ઇ મેમો (e challan) આપવાની પણ શરૂઆત કરવામાં આવી છે. છતાંપણ, કેટલાક વાહનચાલકો એવા છે કે જેમણે ન સુધરવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. જોકે, હવે આવા વાહનચાલકો ફરજિયાત સુધરવું પડશે નહીં તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થઇ શકે છે.