કોરોનાના કેસ વધવાની સાથે 27 કરોડ લોકોને વેક્સીનેશનનું લક્ષ્ય પૂરું કરવા સરકાર અભિયાનમાં પ્રાઈવેટ સેક્ટરને પણ જલ્દી મંજૂરી આપવાની તૈયારી કરી રહી છે.
કોરોનાએ વધાર્યું ટેન્શન
કેન્દ્ર વેક્સીનેશનને લઈને કરી રહી છે વિચારણા
પ્રાઈવેટ સેક્ટરને મળી શકે છે અભિયાનમાં મંજૂરી
દેશના અનેક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ ફરી એક વાર વધ્યા બાદ કેન્દ્ર સરકાર ટેન્શનમાં છે. ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સ્થિતિની સમીક્ષા કરી અને સ્વાસ્થ્ય મંત્રાલયના વેક્સીનેશન અભિયાનમાં ઝડપ લાવવા માટે કહ્યું જેથી કોરોનાને ફરી એકવાર ફેલાતો અટકાવી શકાય. સરકાર હવે 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને કોરોનાની વેક્સીન આપવાની યોજના બનાવી રહી છે. એવામાં ઓછા સમયમાં 27 કરોડ લોકોને વેક્સીન આપી શકાય તેવો વિચાર સરકાર કરી રહી છે અને આ માટે પ્રાઈવેટ સેક્ટરને મંજૂરી આપવાની વિચારણા ચાલી રહી છે.
હવે કોને અપાશે વેક્સીન
નવા તબ્ક્કામાં એ લોકોને વેક્સીન આપવામાં આવશે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે અને સાથે તેમને ગંભીર બીમારીઓ છે. કોરોનાથી જેમને મોતનું જોખમ વધારે છે તેમને આ તબક્કામાં વેક્સીન આપવામાં આવશે.
चार राज्य लक्षद्वीप, गुजरात, राजस्थान और मध्य प्रदेश में 75% से अधिक फ्रंटलाइन वर्कर्स और स्वास्थ्यकर्मियों को वैक्सीन की पहली डोज लगाई जा चुकी है: स्वास्थ्य मंत्रालय pic.twitter.com/0oKFysDgQ6
તેઓએ કહ્યું કે હજુ પણ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સના વેક્સીનેશનમાં પ્રાઈવેટ સેક્ટર મુખ્ય રીતે સામેલ છે. એક દિવસમાં અપાતી 10 હજાર વેક્સીનમાં 2 હજાર પ્રાઈવેટ સેક્ટરની દેખરેખમાં અપાઈ રહી છે. આ વેક્સીનેશન અભિયાનમાં ઝડપ લાવવા માટે પ્રાઈવેટ સેક્ટરની ભાગીદારી વધારે રહેશે.
8 राज्य ऐसे है जिन्होंने अपने 75% से अधिक स्वास्थ्यकर्मियों को
वैक्सीन की पहली डोज लगाई है। ये राज्य है बिहार, त्रिपुरा, उड़ीसा, छत्तीसगढ़, उत्तराखंड, झारखंड, उत्तर प्रदेश और हिमाचल प्रदेश: स्वास्थ्य मंत्रालय https://t.co/YoNiLu31Sv
સરકાર ઈચ્છે છે કે એક જ દિવસમાં 50 હજાર વેક્સીનનું લક્ષ્ય રખાય. અત્યારસુધીમાં વેક્સીનેશન માટે 67 ટકા હેલ્થ વર્કર અને 40 ટકા ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. એક માહિતી અનુસાર 11.5 લાખ હેલ્થ વર્કર કોરોના વેક્સીનનો બીજો ડોઝ પણ લઈ ચૂક્યા છે. તેમાં 40-50 ટકા ડોઝ ખાનગી હોસ્પિટલોમાં અપાઈ છે.
દેશના 3 રાજ્યો અને એક કેન્દ્રીય પ્રશાસિત ક્ષેત્ર ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને લક્ષદ્વીપમાં નોંધાયેલા હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર્સમાંથી 75 ટકાને વેક્સીનનો પહેલો ડોઝ આપી દેવાયો છે.
કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને વેક્સીનેશનના અભિયાનમાં ઝડપ લાવવા કહ્યું છે. સરકારની નજર મહારાષ્ટ્ર, કેરળ , પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં કોરોનાના વધતા કેસ પર પણ છે.