ત્રીજી લહેરની આશંકાને લઈને કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું , કે તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા આદેશ આપી દીધા છે.
કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા આપ્યા આદેશ
ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે લેવાશે કડક પગલા
31 જુલાઈ સુધીમાં કેવા પગલા લેવા તે નક્કી કરવા કહ્યું
મોદી સરકાર દ્વારા દિલ્હી હાઈકોર્ટને જણાવામાં આવ્યું છે, કે તેમણે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાની ગાઈડલાઈનું પાલન કરવા કડક સૂચના આપી છે. સાથેજ ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે પણ કડક પગલા લેવામાં આવે તેવા તેમંણે આદેશ આપ્યા છે.
પ્રતિંબધ હટાવવા જરૂરી હતા
વધુંમાં તેમણે એવું પણ કહ્યું કે 31 જુલાઈ સુધીમાં કેવા કડક પગલા લેવા તે મામલે પણ નક્કી કરવામાં આવે તેવા તેમણે આદેશ આપ્યા છે. સરકારે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે કોરોનાના કેસ ઓછા થયા બાદ પ્રતિબંધો હટાવવા જરૂરી હતા. પરંતુ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પણ ઘણું જરૂરી છે.
કોવિડ પ્રોટોકોલોનું પાલન કરવાના આદેશ
દિલ્હીના વિવિધ બજારોમાં કોવિડ પ્રોટોકોલના ધજાગરા ઉડતા હતા. જેથી આ મામલે તેમણે દિલ્હી હાઈકોર્ટને તેમણે જાણ કરી કે તેઓએ પહેલાથી કોરોના પ્રોટોકોલનું પાલન કરવાવા સૂચના આપી છે. ખાસ કરીને માસ્ક, સોશિયલ ડિસટન્સીંગ જેવા પ્રોટોકોલનું પાલન કરવા તેમણે સૂંચના આપી છે. ઉપરાંત જાહેર સ્થળોએ થૂંકનારા સામે પણ કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.
સંક્રમણ કાબૂમાં રાખવા સૂચના આપી
કેન્દ્ર સરકારે કહ્યું કે કોરોનાનાને કારણે જે પ્રતિબંધો લગાવામાં આવ્યા હતા. તેને પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને હટાવામાં આવે છે. ઉપરાંત તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંક્રમણ કાબૂમાં રાખવા કયા પગલા લેવા તેનું પણ ધ્યાન દોર્યું છે.
સાવચેતી રાખવાના આદેશ
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દેશ માટે ઘણી ઘાતક સાબિત થઈ છે. જેથી ત્રીજી લહેરને લઈને સરકારે પહેલાથી તૈયારી કરી રાખી છે. સાથેજ સરકાર દ્વારા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને પણ સાવચેતી રાખવા આદેશ આપ્યા છે. જેથી સંક્રમણને ફેલાતું રોકી શકાય.