મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ આગામી 7 જુલાઈના રોજ થઈ શકે છે. 17 થી 22 જેટલા નવી મંત્રીઓ શપથ લેવાના છે. તેમજ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું વિસ્તરણ થશે.
7 જુલાઈએ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા
નવા મંત્રીમંડળમાં 17 થી 22 જેટલા મંત્રી શપથ લેશે
ચૂંટણીઓને ધ્યાનમાં રાખી વિસ્તરણ કરવામાં આવશે
મોદી સરકાર તેમના મંત્રીમંડળનું આ અઠવાડિયે વિસ્તરણ કરી શકે છે.. એવી માહિતી સામે આવી છે કે 7 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદ મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. નવા મંત્રીમંડળમાં 17 થી 22 મંત્રી શપથ લેવાના છે.
એવુ માનવામાં આવી રહ્યું છે કે જે રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે, તે રાજ્યોને ધ્યાનમા રાખીને મંત્રિમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. ત્યારે કયા રાજ્યથી કેટલા મંત્રીઓ મંત્રિમંડળમાં શામેલ થશે તે વિશે અમે આપને જણાવી દઈએ.
ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશથી ત્રણ સંચાર મંત્રી શામેલ કરવામાં આવશે. જેમા અપના દલથી અનુપ્રિયા પટેલને શામેલ કરવામાં આવશે.
બિહાર
2 થી 3 જેટલા બિહારના મંત્રીઓને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવશે. જેમા ભાજપના સુશીલ મોદી, જેડીયુંના RCP સિંહ અને એલજેપીથી પશુપતી પારસને પણ શામેલ કરવામાં આવી શકે છે.
મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશથી પણ એક કે બે જેટલા મંત્રીઓને શામેલ કરવામાં આવી શકે છે. જેમા જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાકેશ સિંહને શામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના પણ એક થી બે જેટલા મંત્રીઓને શામેલ કરવામાં આવી શકે છે. જેમા નારાયણ રાણે, હિના ગાવિત અને રણજીત નાયકને શામેલ કરવામાં આવી શકે છે.
રાજસ્થાન, જમ્મુ કશ્મીર અને લદ્દાખ
આ ત્રણેય રાજ્યોમાંથી પણ એક મંત્રી શામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
અસમ
અસમમાંથી એક કરતા વધારે મંત્રી શામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળથી શાન્તનું ઠાકુર તેમજ નિશીથ પ્રામાણિકને મંત્રિમંડળમાં શામેલ કરવામાં આવી શકે છે.
ઓડિશા
ઓડિશામાંથી પણ એક મંત્રી શામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
આપને જણાવી દઈએ કે ગઠબંધન વાળી સરકાર પણ આ વખતે મંત્રિમંડળનો હિસ્સો બની શકે છે. કેબિનેટમાં આ વખતે જેડીયું, અને કોંગ્રેસના પણ ઘણા મંત્રીઓ શામેલ થઈ શકે છે.
કોણ કોણ મંત્રાલય છોડશે ?
પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિતિન ગડકરી, ડો હર્ષવર્ધન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની અને હરદીપ સિંહ પુરી આ વખતે મંત્રાલય છોડે તેવી શક્યતા સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં 81 સદસ્ય થઈ શકે છે. હાલ 53 મંત્રી છે. એટલે કે નવા 28 મંત્રીઓને મંત્રિમંડળમાં જોડવામાં આવી શકે છે.