કેન્દ્રિય ચૂંટણી કમિશ્નર સુશિલ ચંદ્રાએ મા અંબાના દર્શન કર્યા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી મુદ્દે કહ્યું કે ચૂંટણી ગમે ત્યારે હોય લોકો પોતાના મતનો ઉપયોગ જરૂર કરે
કેન્દ્રીય ચૂંટણી કમિશનર સુશિલ ચંદ્રા કર્યા મા અંબાના દર્શન
ચૂંટણી મુદ્દે સુશિલ ચંદ્રાએ કહ્યું ચૂંટણી તેના ટાઈમ પ્રમાણે જ થશે
ગુજરાત પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીએ પણ કર્યા મા અંબાના દર્શન
આજે ભાદરવી પૂનમને લઈ અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી છે ત્યારે કેન્દ્રિય ચૂંટણી કમિશ્નર સુશિલ ચંદ્રાએ મા અંબાના દર્શન કર્યા હતા અને ગુજરાતમાં આગામી સમયામાં યોજાનાર ચૂંટણીને લઈ પણ મહત્વનું નિવેદન આપ્યું હતું, સુશિલ ચંદ્રાએ કહ્યું કે ચૂંટણી માટે હાલ કોઈ સૂચના નથી, ચૂંટણી તેના ટાઈમ પ્રમાણે જ યોજાશે તેમજ ચૂંટણી ગમે ત્યારે હોય લોકો પોતાના મતનો ઉપયોગ જરૂર કરે તેમણે વધુમાં જણાવ્યું કે હું ઘણા વર્ષોથી મા અંબાના દર્શન માટે આવું છું.
ગુજરાત પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીએ પણ કર્યા મા અંબાના દર્શન
આ તરફ પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીએ પણ અંબાજીના દર્શન કર્યા હતા મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે 51 શક્તિપીઠ પૈકી અંબાજીનું ખૂબ મહત્વ છે. કોરોનાને પગલે મેળાનું આયોજન કરાયું નથી પરતું ભક્તો દર્શન કરી શકે તે માટે સવારે 6થી રાત્રે 1.30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે, મંત્રી પૂર્ણશ મોદીએ મંદિરમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સુચારુ વ્યવસ્થાની સાથે ભક્તો માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવ્યું હતું
ભાદરવી પૂનમને મંદિરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી
આજે અંબાજીમાં ભાદરવી પૂનમને લઈ મંદિરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી મંદિરના તમામ ગેટના પરના કર્મીઓને બોડી વોર્ન કેમેરા અપાય છે સૌ પ્રથમવાર સુરક્ષા કર્મીઓની બોડી પર બોડી વોર્ન કેમેરા લગાવી સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત કરવામાંઆ આવ્યો છે
સાથે જ મંદિરમાં પ્રવેશતા ભક્તોનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવનાર છે. મહત્વનું છે કે કોરોનાને કારણે ભાદરવી પૂનમનો મેળો પણ સ્થિગત કરવામાં આવ્યો છે તેમ છતાં મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.
યાત્રાધામ શામળાજીમાં પણ ભાદરવી પૂનમને લઈ ભક્તોની ભીડ ઉમટી
યાત્રાધામ શામળાજીમાં પણ ભાદરવી પૂનમને લઈ ભક્તોની ભીડ ઉમટી છે ભાદરવી પૂનમને લઇ સવારથી ભક્તો ઉમટ્યા છે ત્યારે હજારો ભક્તોએ પગપાળા શામળિયાના દર્શન કરી રહ્યા છે. અહી પિતૃ મોક્ષ માટે ભગવાન વિષ્ણુના દર્શનનું અનેરું મહત્વ છે, તો ભક્તોના ધસારાને મંદિર એક કલાક વહેલું ખોલાવામાં આવ્યું છે. વહેલી સવારે મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું છે તો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.