જો આપનું બેંક અકાઉંટ પણ પબ્લિક સેક્ટરની સેન્ટ્રલ બેંક ઓફ ઈંડિયામાં છે, તો સમાચાર એકદમ આપના માટે જ છે.
આ બેંકે લીધો મોટો નિર્ણય
દેશભરની 600 બેંક બ્રાન્ચ બંધ કરશે
આ કારણે લેવા પડ્યો આ નિર્ણય
જો આપનું બેંક અકાઉંટ પણ પબ્લિક સેક્ટરની સેન્ટ્રલ બેંક ઓફ ઈંડિયામાં છે, તો સમાચાર એકદમ આપના માટે જ છે. હકીકતમાં પોતાની ફાઈનાન્સિયલ કંડિશનને વધારે સારી બનાવવા માટે બેંક તરફથી મોટી સંખ્યામાં બ્રાંચ બંધ કરવાનો પ્લાન બનાવી રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બેંક દેશભરની હાલની 13 ટકા શાખાઓને બંધ કરવાનો પ્લાન બનાવી રહી છે.
દેશભરમાં 4594 શાખાઓ
બેંક માર્ચ 2023 સુધી દેશભરમાં હાલની લગભગ 600 શાખાઓ બંધ કરવા અથવા નુકસાનીમાં ચાલી રહેલી બ્રાંચનું વિલય કરવા પર વિચાર કરી રહી છે. આપને જણાવી દઈએ કે, સેન્ટ્રલ બેંક ઓફ ઈંડિયાની દેશભરમાં 4594 શાખાઓ છે.
2017માં પીસીએ લિસ્ટમાં નાખવામાં આવી
અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં સેન્ટ્રલ બેંક ઓફ ઈંડિયા સહિત કેટલીય બેંકોને અરબીઆઈના પ્રોમ્પટ કરેક્ટિવ એક્શન લિસ્ટમાં નાખવામાં આવી હતી. આ લિસ્ટમાં ખરાબ નાણાકીય હાલતમાંથી પસાર થઈ રહેલી બેંકોને નાખવામાં આવે છે.
2018માં પીસીએમાં 12 બેંકોને રાખવામાં આવી હતી
આ લિસ્ટમાં આવતી બેંકોને કેટલાય પ્રતિબંધો સાથે નાણાકીય હાલતમાં સુધારો લાવવાનો મોકો આપ્યો હતો. 2018માં પણ આરબીઆઈએ પીસીએ ફ્રેમવર્કમાં 12 બેંકોને રાખવામાં આવી હતી. તે સમયે તેમા 11 સરકારી અને એક પ્રાઈવેટ બેંક હતી, જેને વધારાનો વર્કિંગ કેપિટલ આપવામાં આવ્યો હતો.