નાગરિકતાને જન્મ પ્રમાણ પત્રથી જોડવા અકલ પર્યાવરણ અધિનિયમ, વ્યાપારને લઈ સમજૂતિમાં નોંકરીઓને સામિલ કરવા જેવી બાબતોને સામેલ કરતો નવો એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
કેન્દ્રએ 60 પોઈન્ટ વાળો એક્સન પ્લાન તૈયાર કર્યો
ભારતમાં નાગરિક્તાના કોઈ પુરાવા નથી
ટેક્નીકલ, ડેટા અને શાસનમાં સુધારા માટે આઈટી પર ભાર મુકવામાં આવ્યો
કેન્દ્રએ 60 પોઈન્ટ વાળો એક્સન પ્લાન તૈયાર કર્યો
પીએમ નરેન્દ્ર મોદીએ 18 સપ્ટેમ્બરે જ તમામ વિભાગો અને મંત્રાલયોના સચિવોની સાથે લાંબી બેઠકો કરી હતી. આ મીટિંગ બાદ કેન્દ્રએ 60 પોઈન્ટ વાળો એક્સન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં નાગરિકતાને જન્મ પ્રમાણ પત્રથી જોડવા અકલ પર્યાવરણ અધિનિયમ, વ્યાપારને લઈ સમજૂતિમાં નોંકરિઓને સામિલ કરવા જેવી ચીજો સામેલ છે. આ ઉપરાંત સરકારે ચર્ચાઓ અને યોજનાઓમાં આઈટી સેક્ટર પર ભાર મુકવાની વાત કરી છે. કૈબિનેટ સચિવ રાજીવ ગૌબાએ 20 સપ્ટેમ્બરે સચિવોને અલગ અલગ લખલા પત્રોમાં પોઈન્ટ પર તત્કાલ પગલા ભરવા માટે નક્કી સમયમાં પુરા કરવા માટે કહ્યું છે.
ભારતમાં નાગરિક્તાના કોઈ પુરાવા નથી
એક અંગ્રેજી અખબાર અનુસાર દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં નાગરિક્તાના કોઈ પુરાવા નથી. નાગરિક્તાને ટેક્નિકના માધ્યમથી જન્મ પ્રમાણ પત્રથી જોડી શકાય છે અને મુખ્યધારામાં લાવી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે 60 પોઈન્ટોમાં અલગ અલગ મંત્રાલયો અને વિભાગોને લઈને કામ નોંધાય છે. પરંતુ નજીકના વિશ્લેષણથી ખબર પડે છે કે ચર્ચામાં 3 વાતો પર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં શાસન માટે આઈટીનો લાભ ઉઠાવવો, કારોબારી વાતાવરણમાં સુધાર કરવો અને સિવિલ સેવાઓને સારી કરવાનું સામેલ છે.
ટેક્નીકલ, ડેટા અને શાસનમાં સુધારા માટે આઈટી પર ભાર મુકવામાં આવ્યો
રિપોર્ટનુ સાર ઉદાહરણ તરીકે જોવા જઈએ તો વ્યાપારને વધારવા માટે એક્શન પોઈન્ટ્સમાં અનેક વાતો સામેલ છે. જેમ કે કેટલીક પરવાનગીઓ ખતમ કરવી, 10 સેક્ટર્સમાં વ્યવસાય શરુ કરવાના ખર્ચમાં ઘટડો લાવવો અને તેમાં વિયતનામ અને ઈન્ડોનેશિયાના બરાબર લાવવા, એક જ જગ્યા પર તમામ સરકારી સેવાઓની સુવિધા, સમય પર ભૂમિ અધિગ્રહણ અનં જંગલોની મંજૂરીને લઈને રાજ્યોને પ્રોત્સાહન, આ એક વ્યાપક પર્યાવરણ મેનેજમેન્ટ અધિનિયમ, જેમાં વિસ્તારના તમામ કાયદા સામેલ હોય. સાથે ટેક્નીકલ, ડેટા અને શાસનમાં સુધારા માટે આઈટી પર ભાર મુકવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય સ્તર પર રમતના પ્રચાર માટે ઓડિશા મોર્ડલનો સહારો લેવા સલાહ
એક્શન પ્લાનને તૈયાર કરવા માટે પીએમના વિભાગો અને મંત્રાલયોની અન્ય જગ્યાઓની સફળતાથી પ્રેરણા લેવા માટે પણ કહ્યું છે. જેમ કે રમત વિભાગને રહેવામાં આવ્યું છે કે તે રાષ્ટ્રીય સ્તર પર રમતના પ્રચાર માટે ઓડિશા મોર્ડલનો સહારો લે. પ્રશાસનિક સુધાર અને લોક ફરિયાદ વિભાગને કહેવામાં આવ્યું છે કે તે રિઝર્વ બેંક ઓફ ઓડિસાના માસ્ટર સર્કુલર્સની જેમ પોતાના તમામ સરકારી સર્કુરલને સંભાળે.
નીતિ આયોગને 5 વર્ષોમાં ગરીબી મિટાવવાનું લક્ષ્ય રાખવાનું કહેવામાં આવ્યું
પીએમે નીતિ આયોગથી 5 વર્ષોમાં ગરીબી મિટાવવાનું લક્ષ્ય રાખવા માટે કહેવામાં આવ્યું છે. પ્લાનમાં લાભાર્થિઓ માટે અલગ અલગ મંત્રાલયોની યોજનાઓના આધાર માધ્યમથી એક સાથે લાવવાની ભલામણ કરવામાં આવી છે. અહીં પણ કહેવામાં આવ્યું છે કે સામાજિક ન્યાય અને સત્તાવાર મંત્રાલયે ફેમિલી ડેટાબેસ ડિઝાઈન તૈયાર કરી છે અને આનો પ્રયાર આધારની જેમ જ કરી શકાય છે. સાથે એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમામ સરકારી ડેટા તમામ મંત્રાલયોની ઓળખ થવી જોઈએ.