ગાંધીનગરઃ મગફળીના ઉત્પાદનને લઇને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારની મદદથી રાજ્ય સરકાર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
જેમાં આર.સી.ફળદુએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા છે. રૂ.4890 પ્રતિ ક્વીન્ટન ભાવ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2018-19ના વર્ષ માટે ટેકાના ભાવ જાહેર કરાયા છે. પ્રતિ ક્વીન્ટલ રૂ.115નો વધારો કરાયો છે.
મહત્વનું છે કે મગફળીના ટેકાના ભાવે એક મણે 23 રૂપિયા વધ્યા છે. પ્રતિ ક્વીન્ટલ રૂ.110 ભાવ રાજ્ય સરકારનું બોનસ રહેશે. રાજ્ય સરકારના બોનસ સાથે પ્રતિ ક્વીન્ટલ રૂ.5 હજારથી ખરીદી કરાશે. અગાઉ મણના 978 હતા જે હવે વધીને 1001 રૂપિયા થયા છે.
નાફેડ વતી રાજ્યની નોડલ એજન્સી દ્વારા ખરીદી કરાશે. ક્વીન્ટલ દીઠ 115ની મણમાં 23 રૂપિયાની અસર. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મગફળીની ખરીદી કરશે. 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ખેડૂતો ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રમાં નોંધણી કરાવી શકાશે. નોંધણી સમયે 7/12 અને 8-અ નકલ જોડવાની રહેશે. 122 કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવશે. APMC ખાતે ખરીદ કેન્દ્રો ઉભા કરાશે. સરેરાશ ઉત્પાદકતાને આધારે નિયત ગુણવત્તાવાળી મગફળીની ખરીદી કરાશે.
જો કે ખરીદ પ્રક્રિયા CCTV કેમેરા ગોઠવવામાં આવશે. ખરીદ પ્રક્રિયાનું CCTV ફૂટેજ સંગ્રહીત રખાશે. ફ્લાઇન્ગ સ્કવોડ દ્વારા સમયાંતરે ચકાસણી હાથ ધરાશે. 26.95 લાખ મેટ્રીક ટન ઉત્પાદનની શકયતા છે. પ્રતિ ખેડૂત વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં ટેકાના ભાવે ખરીદી કરાશે. 15 નવેમ્બર બાદ ખરીદીની શરૂઆત કરાશે. હેક્ટર દીઠ ઉત્પાદકતા અંદાજે 1836 કિલો. ટેગ સાથેના બારદનનો ઉપયોગ કરવામાં આવશે. 1000 રૂપિયા પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરાશે