કોરોનાની બીજી લહેર પૂરી થઈ ગઈ છે પરંતુ હજુ ખરાબ સમય પૂરો થયો નથી તેવી જાહેરાત સાથે જ કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે.
કોવિડ ટાસ્ક ફોર્સના ચીફ વી.કે.પોલની ચેતવણી
કોરોનાની બીજી લહેર પૂરી થઈ
પરંતુ હજુ ખરાબ સમય પૂરો થયો નથી
કોવિડ ટાસ્કફોર્સના ચીફ વી.કે.પોલે જણાવ્યું કે દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી છે પરંતુ એ કહેવું યોગ્ય નથી કે ખરાબ સમય વીતી ગયો છે.
કોવિડ-19ને રોકવા માટે રસીકરણના મહત્વ પર ભાર મૂકતાં પોલે કહ્યું હતું કે અમે તમામ લાયકાત ધરાવતા લોકોને રસી આપવા માટે સંપૂર્ણપણે સક્ષમ છીએ. તેમણે કહ્યું હતું કે, "રસી પુરવઠાની પરિસ્થિતિને જોતાં પુખ્ત વયની વસ્તીમાં બધા માટે સંપૂર્ણ રસીકરણ અમારી પહોંચમાં છે."
વૈજ્ઞાનિક દલીલોના આધારે બાળકોના વેક્સિનેશનનો અંતિમ નિર્ણય લેવામાં આવશે
સાથે જ બાળકો અને કિશોરોના રસીકરણ અંગે કોવીડ ટાસ્ક ફોર્સના વડાએ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક દલીલોના આધારે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે અને તેમાં કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં. દેશમાં ઝાયડસ કેડિલા કોરોના-પ્રતિરોધક રસી ઉપલબ્ધ હોવા અંગે પોલે કહ્યું હતું કે તેનો ઉપયોગ ટૂંક સમયમાં ભારતીયો માટે કરવામાં આવશે.