કોરોના કેસ વધતા રાજ્યમાં અનેક કોવિડ સેન્ટમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, કોવિડ સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લેવા માટે તેનાઓ અને મંત્રીઓ જતા હોય છે ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાય છે મંત્રી જયેશ રાદડિયા જ્યારે કોવિડ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા ત્યારે પણ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
કોવિડ સેન્ટરની મુલાકાત સમયે મંત્રી થયા ભાવુક
કેબિનેટમંત્રી જયેશ રાદડિયાએ જામકંડોરણા ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત લીધી તે સમયે ભાવ દ્રશ્યો સર્જાયા હતા. મંત્રી જયેશ રાદડિયા જ્યાર દર્દીઓની મુલાકાત માટે પહોંચ્યા તો ખુદ દર્દીઓ મંત્રી જયેશ રાદડિયાને જોઈને ભાવુક થયા હતા જે જોતા મંત્રી જયેશ રાદડિયા પણ ભાવ થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા..કોરોના વાયરસનો કહેર ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે. ત્યારે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જામકંડોરણા કોવિડ સેન્ટર ખાતે દર્દીઓના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા. આ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા. દર્દીઓ જયેશ પણ રાદડિયાને જોઇ ભાવુક થઇ ગયા બીજી તરફ સાજા થતા દર્દીઓને જોઈ જયેશ રાદડિયા પણ ભાવુક થઈ ગયા હતા.'
દર્દીઓએ ખોડલધામ સમિતિના કાર્યકરનો માન્યો આભાર
કોરોનામાં સાજા થનાર એક મહિલા દર્દી દ્વારા જયેશ રાદડિયાને કહેવામાં આવ્યું કે જ્યારે જ્યારે નારી શક્તિની જરૂર પડે ત્યારે મને યાદ કરજો. હું આજીવન તમારી સાથે છું અને તમારા દ્વારા મને નવું જીવન મળ્યું છે આટલું બોલ્યા બાદ મહિલા ચોધાર આસુંએ રડી પડી હતી હતી તો સામે જયેશ રાદડિયાએ પણ ભાવુક થઈ કહ્યું કે તમારા આશીર્વાદ એ જ અમારી સાચી તાકાત છે. કોવિડ સેન્ટરની મુલાકાત માટે આવેલા ખોડલધામ સમિતિના કાર્યકરનો પણ મહિલા દર્દીએ તેમજ સાથી દર્દીઓએ આભાર માન્યો હતો.