ઇલેક્ટ્રિક વાહનોમાં આગ આગ લાગવાની વધતી સમસ્યાને લઈને હાલ કેન્દ્રએ Ola Electric, Okinawa અને Pure EV સહિત ઘણી બીજી વાહન નિર્માતા કંપનીઓને કારણ જણાવો નોટિસ મોકલી.
કેન્દ્રએ Ola Electric, Okinawa અને Pure EV ને કારણ જણાવો નોટિસ મોકલી
ખરાબ ઇલેક્ટ્રિક વાહનો વેચવા માટે એમની સામે દંડાત્મક કાર્યવાહી કેમ ન કરવામાં આવે.
દરેક ઇલેક્ટ્રિક વાહનોમાં બેટરી સેલ અને ડીઝાઇનમાં ખરાબી હતી.
લોકો આજકાલ પેટ્રોલની વધતી કિંમતથી કંટાળીને ઇલેક્ટ્રિક વાહનો તરફ ફર્યા છે પણ ઘ્યાન છેલ્લા ઘણા સમયથી ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની સમસ્યા અને ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં ઇલેક્ટ્રિક વાહનો સુરક્ષાને લઈને લોકો ઘણા સવાલ ઉઠાવી રહ્યા હતા. અને સરકારને કાર્યવાહી કરવા માટે કહી રહ્યા હતા. એવામાં હાલ કેન્દ્રએ Ola Electric, Okinawa અને Pure EV સહિત ઘણી બીજી વાહન નિર્માતા કંપનીઓને કારણ જણાવો નોટિસ મોકલી છે. જેમાં ઇલેક્ટ્રિક વાહનોમાં આગ આગ લાગવાની વધતી સમસ્યાને લઈને ઘણા સવાલો કરવા આવ્યા છે. કેન્દ્રએ આ કંપનીઓને ચેતવણી આપતા પૂછ્યું છે કે ખરાબ ઇલેક્ટ્રિક વાહનો વેચવા માટે એમની સામે દંડાત્મક કાર્યવાહી કેમ ન કરવામાં આવે.
સૂત્રો અનુસાર ઇલેક્ટ્રિક વાહનના નિર્માતાઓને નોટિસનો જવાબ આપવા માટે જુલાઇના અંત સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક વાહનના નિર્માતા કંપનીઓના જવાબ પછી સરકાર એ નક્કી કરશે કે એમની સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ કે નહીં. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને પણ ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના કિસ્સાઓ સંબંધિત ઇલેક્ટ્રિક વાહનના નિર્માતાઓના જવાબની રાહ છે.
Central Consumer Protection Authority (CCPA) એ ગયા મહિને પ્યોર ઇવી અને બૂમ મોટર્સને નોટિસ મોકલી હતી કારણકે એમના દ્વારા બનાવવામાં આવેલ સ્કૂટરમાં એપ્રિલ મહીનાં આગ લાગી હતી એવો કિસ્સો સામે આવ્યો હતો. સરકારી જાંચના શરૂઆતી સ્ટેજ પર એમ ખબર મળી હતી કે આગ લાગેલ દરેક ઇલેક્ટ્રિક વાહનોમાં બેટરી સેલ અને ડીઝાઇનમાં ખરાબી હતી.
રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનને ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવા વિશે જાંચ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતી જેમાં ખબર પડી છે કે ઓલા ઈલેક્ટ્રીક, ઓકિનાવા, પ્યોર ઈવી, જિતેન્દ્ર ઈલેક્ટ્રીક વ્હીકલ્સ અને બૂમ મોટર્સ દ્વારા ઉપયોગમાં લેવાતી બેટરીઓ "લાગત કામ કરવા માટે નિમ્ન-શ્રેણીની સામગ્રી" નો ઉપયોગ કરતા હતા. નીતિન ગડકરીએ અ પહેલા પણ ઇલેક્ટ્રિક વાહનના નિર્માતાઓણે દંડાત્મક કાર્યવાહીની ચેતવણી આપી હતી .