પશ્ચિમ બંગાળમાં ટીએમસી નેતાની હત્યા બાદ બીરભૂમના રામપુરહાટ હદ વિસ્તારના બોગતુઈ ગામમાં હિંસા ભડકી ગઈ છે. અહીં દબંગોએ ડઝનબંધ ઘરોમાં આગ લગાવી દીધી છે.
પશ્ચિમ બંગાળમાં હાલત બદથી બદતર
દબંગ લોકોએ ઢગલાબંધ ઘરોમાં આગ લગાવી
40 જેટલા ઘરો બળીને ખાક થયાં
પશ્ચિમ બંગાળમાં ટીએમસી નેતાની હત્યા બાદ બીરભૂમના રામપુરહાટ હદ વિસ્તારના બોગતુઈ ગામમાં હિંસા ભડકી ગઈ છે. અહીં દબંગોએ ડઝનબંધ ઘરોમાં આગ લગાવી દીધી છે. જેમાં 10 લોકોના મોત થઈ ગયા છે. તો વળી 38 લોકો ઘાયલ પણ થઈ ગયા છે. હિંસા બાદ હવે કેન્દ્રએ આ મામલામાં રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો છે. અગ્નિકાંડમાં લગભગ 40 ઘરો આગના હવાલે કરી દેવામાં આવ્યા છે. જે એકદમ બળીને ખાક થઈ ગયા છે.
આ હિંસા બાદ બીજેપી નેતાઓએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. બેઠક બાદ પશ્ચિમ બંગાળના બીજેપી નેતા સુકાંત મજુમદારે કહ્યું, "કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમને ખાતરી આપી છે કે તેઓ 72 કલાકમાં બીરભૂમ ઘટના અંગે રિપોર્ટ માંગશે, ત્યારબાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ટીમ બનાવવામાં આવશે. મમતા બેનર્જીને જવાબદાર ઠેરવવા જોઈએ, તેઓ સીએમ છે. તેમણે તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ."
MHA seeks report from West Bengal on Birbhum arson incident
આ સાથે જ TMCએ આ હિંસાને ષડયંત્ર ગણાવ્યું છે. TMC રાજ્યના મહાસચિવ કુણાલ ઘોષે કહ્યું, “રામપુરહાટ ગામમાં રાજકીય તણાવનો કોઈ ઈતિહાસ નથી. અમને શંકા છે કે ટીએમસી અને બંગાળને હેરાન કરવાનું આ એક મોટું કાવતરું છે. જેમને લોકોએ નકારી કાઢ્યા છે, તેઓ લાશોનું રાજકારણ કરી રહ્યા છે. તેઓએ અમારા નેતાની હત્યા કરી અને તણાવ ઉભો કર્યો છે."
CID team reaches West Bengal to investigate the #Birbhum incident that claimed the lives of 7-8 people after houses were set ablaze. pic.twitter.com/s6BJ7cjeNW
સૂત્રોના જણાવ્યા અનુસાર હિંસા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રામપુરહાટ હત્યાકાંડ અંગે પૂછપરછ કરવા મંત્રી ફિરહાદ હકીમની આગેવાનીમાં ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ સ્થળ પર મોકલ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મળેલી સૂચનાના આધારે CIDની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સાથે રાજ્ય સરકારે મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની SIT ટીમની રચના કરી છે.
હિંસા બાદ ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ મમતા સરકાર પર પ્રહાર કરતા રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. તેમણે કહ્યું, “પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર છે. રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા એક અઠવાડીયામાં 26 હત્યાઓ થઈ છે. આ બાબતે કેન્દ્રએ દખલ કરવી જોઈએ અને બંગાળની સ્થિતિ પર નિયંત્રણ મેળવવા કલમ 356 (રાષ્ટ્રપતિ શાસન) અથવા 355નો ઉપયોગ કરવો જોઈએ."